આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાઘિયો ભસ્યો
૧૯૩
 


કે તુરત લોકાએ સંતુની ચિંતા કરવા માંડી.

ઝમકુ જતાં જતાં પણ સંતુ વિષે જે ભવિષ્યવાણી ઉચ્ચારતી ગયેલી એ લોકસ્મૃતિમાંથી સહેલાઈથી દૂર થાય એમ નહોતી. સંતુએ પોતાનાં પુનર્લન અંગે સોઈઝાટકીને ના ભણી દીધી હોવા છતાં એનાં હિતૈષીઓ થોડાં એને સુખે રહેવા દે એમ હતાં ? એમણે તો કાગને ડોળે રાહ જોવા માંડી.

‘આ માંડણિયો તો સાજોનરવો પૂગ્યો છે. જોઈએ, હવે સંતુની ટેક કેટલાક દી ટકે છે.’

‘અરે ઝમકુડી જેવી ખાઈપી ઊતરેલી ઝાઝા દી ન ટકી તો સંતુનું શું ગજું ?’

લોકો રાહ જોતાં રહ્યાં પણ એમની મનીષા ફળે એવાં કોઈ ચિહ્નો દેખાયાં નહિ; બલકે, માંડણનાં વાણીવર્તન વગેરે તો પેલી આગાહીને સાવ ઊંધી વાળે એવાં લાગ્યાં.

જેલમાંથી છૂટીને આવ્યો એ દિવસે માંડણ સીધો ઠુમરની ખડકીએ ગયેલો અને હાદા પટેલના ખોળામાં માથું મૂકીને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડેલો, ને બોલેલો :

‘મેં દારૂ પીને હાથે કરીને જ ગોબરને ગૂડી નાખ્યો છે, કાકા ! મારું માથું વાઢો તો મારા જીવને નિરાંત થાય.’

અલબત્ત, માંડણનો આ પશ્ચાત્તાપ પણ લોકનજરે તો નાટકમાં જ ખપી ગયો.

‘ઈ તો ધરથી જ નાટકિયો છે, તરગાળા ભવાયા જેવો. નિતનવા વેશ કાઢવામાં સરોપૂરો—’

‘એમ તો પોર સાલ સંતુનું બેડુ સોંપવા ગ્યો’તો, તંયે ય હીબકે હીબકે રોયો’તો. સાંપટમાં આવે તંયે સહુને વાલો થાવા જાય ઈ માંયલો છે.’

‘આ ફેરે ય આમ રોઈ રોઈને હાદા પટેલને ભરમાવી નાખશે