જ્યાં ચર્ચા ગોઠવાતી ત્યાં આખા રાજ્યમાંથી અને આસપાસના પ્રદેશમાંથી લોકો ટોળે વળતા.
રાજકીય પક્ષ ડેમોક્રૅટિક પક્ષે ટીફન એ. ડગલાસને ઊભા કર્યા. આ બે માણસો વચ્ચે આખા ઈલિનૉયમાં યોજાયેલી સાત ચર્ચાઓએ ગુલામીના ઝઝૂમી રહેલા પ્રશ્નને લોકોના મનમાં સ્પષ્ટતાથી કોતરી દીધો.
ડગલાસની દલીલ એવી હતી કે નવા પ્રદેશના લોકોએ ગુલામ રાખવા કે નહિ તે નક્કી કરવાનો તેમને અધિકાર હોવો જોઈએ. લિંકને કહ્યું કે કોઈ પણ માણસને બીજાના માલિક થવાનો અધિકાર નથી, ગુલામી ખરાબ છે અને તેનો વિસ્તાર કરવાને બદલે ધીમે ધીમે તેનો અંત લાવવો જોઈએ. દક્ષિણના ગુલામમાલિકો પ્રત્યે તેમને સહાનુભૂતિ હતી પણ તેમણે કહ્યું કે ગુલામોના માલિકોને તેમના નુકસાનનો બદલો મળે એવી કોઈ રીત શોધી કાઢવી જોઈએ.
આ ચર્ચાઓએ રાષ્ટ્રના આત્માને જાગ્રત કર્યો અને અબ્રાહમ લિંકનને મોખરે આણ્યા. ઝુંબેશ પૂરી થયા પછી મતદાન થયું અને થોડાક મતથી ડગલાસની છત થઈ. પણ લિંકનને થોડા જ વખતમાં