આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
માબાપોને
 

કરવું તેથી શરમાવું તેના કરતાં માબાપને ખબર જ ન પડે તેની કાળજી રાખવી. તેને થાય છે કે “હવે નહિ કરું.” પણ પાછું તે કરે છે, કેમ કે તેના હાથમાં બીજું કશું કરવાનું હોતું નથી.

વળી દરેક બાળકને ઉપદેશ પણ ન દેવો કે આમ કરવું ખરાબ છે ને આમ કરવું સારું છે. માણસ સારુંનરસું જાણ્યા છતાંયે તે સારુંનરસું કરે છે, તેનું કારણ ક્રિયાશક્તિની નિર્બળતા છે. ઉપદેશથી સમજાય છે ખરું પણ આચરવાની શક્તિ નથી આવતી. ઉપદેશથી આવેલી સમજણને લીધે લાગણી થાય છે, સારો સંકલ્પ ઘડાય છે; પણ અમલ કરવાનું તેથી બની શકતું નથી. કેમ કે સંકલ્પને અમલમાં મૂકવા માટે તો ક્રિયાશક્તિનું બળ જોઈએ છે. ઉપદેશ દેવાને બદલે આપણે બાળકને પ્રવૃત્તિ આપવી, સારી સોબત આપવી, સારું વાતાવરણ આપવું. જ્યાં સુધી હાથમાં કામ છે, જ્યાં સુધી મગજમાં તે કામ વિષે વિચાર છે, જ્યાં સુધી સોબત સારી છે અને જ્યાં સુધી આખું વાતાવરણ નિર્મળ છે ત્યાં સુધી બાળકો બદીઓથી સલામત છે.