________________
માણસ ફાટી ગયા લાગે છે. સાચે તો હતો જ – પણ એના સાચમાં પણ ફાટેલાપણું હતું — જયારે એણે કહ્યું કે એને કાઈ પણ હિંદીની બુદ્ધિ કે શક્તિ વિષે વિશ્વાસ નથી.” મૅકડાનલે તો જાણે કાલે બાપુ કહેતા હતા તે શબ્દો સાચા પાડવ્યા. એ કહે કે કૅન્ચેસને નમવું એ હિંસા અને અવ્યવસ્થાને નમવા જેવું છે, અને પ્રજાતંત્રના આવા માંદલા અર્થ નું માનીએ. બાપુ કહે : ‘‘પાકો શાહીવાદી માણસ એ બની ગયા છે.” મેન્ડરની Astronomy without a Telescope (દૂરબીન વિનાનું ખગોળ) વાંચે છે તેમાંથી એક સુંદર વાક બાપુ ટાંકતા હતા. કહે કે વિજ્ઞાનની સુંદર વ્યાખ્યા એણે આપી છે. ‘એકકસ માપ એ વિજ્ઞાન (Science is accurate measurement) અને એ સિદ્ધાંત કાંતવાને અને એને અંગેની બીજી બધી ક્રિયાને લાગુ પાડવા લાગ્યા. સૂત્રવાકયો બાપુના હાડમાં છે, કારણ આખું જીવન સૂત્રમય છે. છગનલાલ જોષીને કાલે કાગળ લખ્યા તેમાં એક વાકધુ નોંધવાનું રહી ગયું : “ જે માણસ વ્રતબદ્ધ નથી તેના કાણુ વિશ્વાસ કરે ? ” on આજે હસતાં હસતાં કહે : ૮૮ હુ' જે આજે સરકારનું માની જાઉં તો સરકાર કહેવા લાગે કે આ જ ખરા મહાત્મા છે, ભૂલ કરે પણ કેવી સારી રીતે કબૂલ કરે છે ! બધા ગવર્નર મારી પ્રશંસા કરતા થઈ જાય. લેડી વિલિંગ્ડન તો રાજી રાજી થાય. પણ હિંદુસ્તાન શું કરે ? રેનેસ જેવા તો ગાંડા થઈ જાય અને ઘણા જે આજે અહિંસા શોભી રહી છે એમ માને છે તે માને કે અહિંસાશક્તિ આજે ધૂળમાં રોળાઈ છે.” આજે મુસલિનીના રાજ્યમાં નાના નાના ૮-૧૦ વર્ષના છોકરાઓને અપાતી લશ્કરી તાલીમનું એક ચિત્ર બાપુને બતાવીને ૨૭––’ રૂ ૨ સરદાર કહે : “ જોયા આ મુસોલિનીના સિપાઈએ, આલેકા માટા થઈને જગતમાં કેટલે સંહાર કરવાના !” બાપુ કહે : ** હા, ભાઈ, હું’ એ બધાને જોઈ આવ્યો છું. કૅસિઝમને ઈંગ્લેન્ડમાં પણ ઠીક પ્રચાર થઈ રહ્યો છે. આ પાલમેંટમાં ઘણાય સિસ્ટ પેઠા છે, અને વિન્સ્ટન ચર્ચિલ તો મુસાલિનીના પૂજારી છે. અરે, મને ઍડવિન કહેતા હતા ને કે પ્રજાતત્રમાં શો લાભ છે ? રામસે મૅકડેાનનો શાહીવાદ આજે એની પાસે પ્રજાતંત્રની મશ્કરી કરાવી રહ્યો છે. એ બધું એ જ દિશામાં પવન વાતો બતાવે છે.” ૧૮૦ Gandhi Heritage Portal