આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૭
વીર સાધ્વી જોન ઑફ આર્ક

તેને હાથે બાંધેલા દોરડાં જોને કાપી નાખ્યાં. તે માણસના હાથ લોહીલુહાણ થઈ ગયા હતા. “અરે લેાહી ! — મને લેાહી ગમતું નથી.” જોન લોહી જોઈ કંપી ઉઠી, પણ એ માત્ર એક જ પળ. પછી તેણે મલમપટાની સામગ્રી માગી.

એક સરદારે કહ્યું “તમે તકલીફ ઉઠાવવી રહેવા દો. હું બીજા કોઈને બોલાવી લાવું. તમારી પદવીને લાયક એ કામ નથી.”

“મારી પદવીને લાયક નહિ ? હું કોણ ? મનુષ્યસેવા મારી પદવીને લાયક નહિ ? સરદાર ! એવું બોલો નહિ. જગતસેવા ગમે એવી નાની પદવીને પણ શોભાવે છે. મેં કદાપિ તેના હાથ બાંધ્યા હોત, તો લોહી ન નીકળત.”

જ્યારે જોન મલમપટો કરતી હતી ત્યારે તે માણસ છુપી રીતે નીચી મુંડી ઘાલી, જેમ કોઈ પશુ ચારા નીરનારને જુએ તેમ જોતો હતો. અધિકારી વર્ગ પણ જોન કેમ મલમપટો કરે છે, તે જોઈ રહ્યો. તેઓનું ધ્યાન લશ્કર તરફ નહોતું. કેટલીક વખત નાની જેવી બાબતોમાં પણ લોકો પોતાને ભૂલી જાય છે. લોકો એમ કેમ કરે છે ? એનું કારણ જ નથી. તેઓ એવા છે, અને તેઓને એવા આપણે માની લેવાજ જોઈએ.

જોને પછી તે માણસને તેના ઇતિહાસ પૂછ્યો.

“દેવિ ! મારી મા મરી ગઈ અને તેની પછવાડે એક પછી એક મારાં ત્રણ છોકરાં ચાલી નીકળ્યાં. ત્યારે દુકાળ હતો. જ્યારે તેઓ મરણ પામ્યાં ત્યારે હું પાસે હતો. મેં તેઓની પાછળ સઘળી ક્રિયાઓ કરી. પછી મારી સ્ત્રી મરણપથારીએ પડી. તેને હું કેમ એકલી મરવા દઉં ? હું કદાચ મરતો હોઉં, તો શું તે પોતે મારી પાસે ન આવે ? અરે ! તે આવેજ; આગમાંથી નીકળીને પણ આવે, તેથી હું ગયો. મને આલિંગન દેતાં દેતાં તેના પ્રાણ ગયા. પછી તેની ક્રિયાઓ કરી બનતી ઝડપે હું પાછો આવ્યો.”

“આ સાચી વાત લાગે છે – મારા તરફ જો,” બન્નેની આંખો મળી – એકત્ર થઈ.

“જા, હું તને માફી આપુ છું: પણ તને ખબર હતી કે જો તું પાછો ફરશે, તો તને ફાંસીએ લટકાવવામાં આવશે ?”

“જી, હા.”

“ત્યારે તું કેમ પાછો આવ્યો ?”

“કારણ કે સ્નેહ રાખવા જેવી મારે પૃથ્વીમાં એક પણ વસ્તુ