આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૮
પરિશિષ્ટ

હું તે લઈ શકીશ – અરે ! તે તાબે કરી શકાત –”

એક દિવસ વહી ગયો. જોનના મનમાં નવી આશા આવી. સેન્ટ ડેનિસ પાસે સીન નદી ઉપર એક પૂલ હતો. આ પૂલને ઓળંગીને પારીસ ઉપર બીજેજ ઠેકાણે હુમલો કરી શકાય એમ હતું, પણ અમારા રાજાને આવી ખબર પડતાં તેણે આ પૂલ ભંગાવી નખાવ્યો. પછી તેણે જાહેરનામું કાઢ્યું કે, હવે યુદ્ધ પૂરાં થયાં છે, માટે પારીસ છોડી સઘળાએ લુવાર તરફ પાછું જવું.

જોન પેાતાના શત્રુઓથી કોઈ દિવસ હારી નહોતી, તે આજે મિત્રોથી હારી. તેણે પહેલેથી જ કહ્યું હતું કે, મને પ્રપંચનો ભય છે, અને તે ભય હવે સાચો ઠર્યો. તે કહેતી કે, તમારા મત પ્રમાણે યુદ્ધ પૂરાં થયાં છે, તો હવે તમારે મારું કામ નથી, તેથી મને જવા દ્યો; પણ રાજાએ જોનનો વખતે ખપ પડે એમ ધારી રજા આપી નહિ.

તેરમી સપ્ટેમ્બરના દિવસે લોઈર તરફ લશ્કર નિરાશામાં પાછું ફર્યું. કોઈ મૃત્યુ પામ્યું હોય એવી શોકાતુર શાંતિ જ્યાં ત્યાં પ્રસરી રહી. એકે હર્ષનાદ નહોતો. મિત્રોની આંખો આંસુથી ભરપૂર હતી. શત્રુઓ હસતા હતા. તે દિવસે ધીમો ધીમો વરસાદ પડ્યો. આકાશ કાળું થઈ ગયું. એમ બધું શોકાતુર ભાસવા લાગ્યું.

રાજાએ પછી તે વિજયી લશ્કરને પોતાની મરજીમાં આવે ત્યાં જવા રજા આપી. વાવટાઓ સંકેલી લેવામાં આવ્યા; હથીઆરોનો ગંજ ખડકવામાં આવ્યો. ફ્રાન્સની આબરૂ વેચાઇ.

(૨૪)

હા, મેં કહ્યું છે તે સત્ય છે. વિજયી જોન અવિજયી થઈ હતી.

આઠ મહિના સૌને માજશોખના મળ્યા. એક કિલ્લાથી બીજે કિલ્લે સહેલગાહે જવાનું જ રાજા અને રાજાના મંડળને હવે કામ રહ્યું. જોનને આ જરા પણ પસંદ નહોતું. તે તેઓની સાથે રહેતી, પણ તેની જીંદગી તેઓના જેવી નહોતી. રાજાએ જોનને સુખી કરવા બનતી મહેનત લીધી. તેણે જોનને રાજ્યસભાની બાબતોમાં સ્વચ્છંદપણે વર્તવા છૂટ આપી. જોન હવે સાધુ જેવી જીંદગી ગાળતી. તે પોતાના ઓરડામાંજ પૂરાઈ રહેતી અને પ્રાર્થના કર્યા કરતી. પ્રભુભક્તિ તેને મન મોટો દિલાસો હતો. પ્રભુભક્તિજ તેને આવા દુ:ખમય સમયમાં શાંતિ આપતી.

તે કવચિત્ પણ ફરિયાદ ન કરતી, બધું જ મૂંગે મોઢે સહન કરતી. ફરિયાદ કરવાનો તેનો સ્વભાવજ નહોતો. પ્રભુની મરજીને