આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
મુરખરાજ અને તેના બે ભાઈઓની વાત.

લીએ. ‘આ કેવા ચકચકીત ચકતાં છે,’ એમ કહી તેઓ હસવા લાગ્યા

લોકોની આંખને ચકતાં ગમ્યાં તેથી તેઓ તો વગર વિયાર્યે પોતાનો માલ સેતાનને આપી મહોરો એકઠી કરવા લાગ્યા.

સેતાન રાજી થયો. તેણે વિચાર્યું “હવે મને લાગ મળ્યો છે. લોકોનો બધો માલ લઇ લઇશ ને તેઓને પાયમાલ કરી શકીશ.”

પણ સેતાનની ગણતરી ખેાટી પડી, લોકો કંઇ નાણું સમજીને મહોરો નહોતા લેતા, તેઓને મન તો સિક્કા તે રમકડાં હતાં તે બધી મહેારો પોતાનાં છોકરાં છૈયાંને આપી દેતા હતા. જ્યારે સિક્કાની છત થઈ એટલે લોકો તે લેતા બંધ પડી ગયા.

દરમીયાન સેતાનનો મહેલ પુરો ચણાતો ન હતો તેના કોઠારમાં તેને જોઈતો હતો, એટલો દાણો પણ એકઠો નહોતો થયો એટલે તેણે મજુર વિગેરેને બમણા સિક્કા આપવાનું કહ્યું.

મજુરો કે ખેડુત શાના આવે ! તેઓને સેતાનની મજુરી પેટને ખાતર કરવાની હાજત ન હતી. કોઇ વેળા છોકરાંઓ સેતાનની પાસે પહોંચી જાય ને થાડાં બોર આપી સિક્કા રમવાને સારૂ લઈ આવે. બોરથી કંઇ સેતાનનું પેટ ન ભરાય. એટલે સેતાનને તો છતે નાણે ખાવાના સાંસા પડવા લાગ્યા.

તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો ને તેણે મહોરો આપી ખાવાનું માગ્યું. સહુએ કહ્યું કે તેઓના પાસે રમકડાં પુષ્કળ હતાં એટલે ન જોઇએ.

એક ખેડુતને ત્યાં જતાં તેને નીચેનો જવાબ મળ્યો ભાઇ, મારે તારી મહોરો તો ન જોઈએ. પણ જો તું ભુખ્યો હોય તો ઇશ્વર પ્રીત્યર્થે તને ખાવાનું આપીએ.”

ઈશ્વરનું નામ સાંભળતાં જ સેતાન નાઠો. ઇશ્વરનું નામ જ્યાં લેવાય ત્યાં સેતાન ઉભો પણ શાનો રહે ? તે પછી ઇશ્વરને નામે કંઇ તે ખાવાનું લીએ ?

સેતાન હવે મુંઝાયો. પૈસા સિવાય બીજું તો તેની કને હોય