આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવાન અને શિવદયાળની વાત

પ્રકરણ પ મું.


શિવદયાલ રસ્તે ચાલતાં ચાલતાં વિચારે છે. દુનિયામાંથી પાપ કેમ જાય ? લોકો પાપીઓને જેલમાં નાખે છે, દેશપાર કરે છે, ફાંસીએ ચઢાવે છે, આમ કરી પાપ દૂર કરવાનો યત્ન સહુ કરે છે, બીજાનાં પાપ લીધાં વિના હું પાપ કેમ દૂર કરૂં? આમ મુંઝાતો મુંઝાતો તે ચાલ્યો જાય છે પણ કંઈ સુઝતું નથી, એમ કરતાં તે એક ખેતર પાસે આવ્યો. તેમાં દાણો સારો પાક્યો હતો. વાઢનારા દાણો કાપવા આવ્યા હતા. તેમાં એક વાછરડું પેસી ગયું. બધા ખેડુઓ અહીંથી તહીં તેને દોડાવે, ઘડીમાં તે બહાર આવે ને વળી માણસોની ચીસાચીસ ને દોડાદોડથી તે પાછું ખેતરમાં પેસી જાય. એક બાઈ રડતાં રડતાં બોલી, “આ ખેડુ મારા વાછરડાને મારી નાંખશે.” શિવદયાળ બોલી ઉઠ્યો, “ભાઇઓ, તમે બધા ટાઢા પડી ઉભા રહેા તો હમણાં આ બાઇ તેને બોલાવી લેશે.” ખેડુતો તેની વાત માની એક બાજુએ ઉભા રહ્યા. એટલે પેલી બાઈએ વાછરડાને બોલાવી લીધું. શિવદયાળની આ શિખામણથી પેલા ખેડુઓ, તે ઓરત અને વાછરડું ત્રણે રાજી થયાં.

શિવદયાળ વળી ચાલતાં વિચારે છે. “હવે સમજાય છે કે પાપથી પાપ વધે. પાપને જેમ ઝાઝી સજા કરીએ તેમ તે વધતું જાય. પાપે પાપનો નાશ એ વાત તો ખોટી. ત્યારે પાપનો નાશ કેમ થાય ? જો વાછરડે તે ઓરતનું કહેવું ન માન્યું હોત તો તે કેમ બહાર નીકળત ? મને તો કંઇ સુઝતું નથી.”

પ્રકરણ ૬ ઠું.

શિવદયાળ આમ વિચાર કરતો કરતો ચાલ્યો જાય છે. અંતે એક ગામડું આવ્યું ત્યાં આરામ લેવાનો વિચાર કર્યો. એક ઘરમાં