આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
જીવન દોરી

તરફ ચાલ્યો આવવા લાગ્યો. પરંતુ પરમાત્માએ મને પ્રેરણા કરી કે એક દુઃખી મનુષ્યને આવી સ્થિતિમાં જોઈ તેના પાસેથી કંઇપણ તજવીજ કર્યા સિવાય કેવી રીતે ચાલી આવું ? તેથી હું પાછો ફર્યો અને તેની પાસે ગયો. ઇશ્વરે જ મને એની પાસે મોકલ્યો. નહીં તો એ થંડીમાં અકડાઈને મરી જાત. આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે એના ઉપર શું મહાન કષ્ટ ઉતરી પડ્યું છે? જેથી મેં એને મારૂં અંગરખું અને પગરખાં પહેરાવ્યાં, અને અહીંઆં લઇ આવ્યો. હવે તારા અંતઃકરણમાં જરા દયા રાખ. આપણે સર્વને એક વખત મરવુંજ છે. તો પાપાચરણ કરતાં તરત અટકવું જોઈએ.” આ સાંભળી સ્ત્રીના અંતઃકરણમાં પાછો ઠપકો દેવાનું મન થઈ આવતું હતું. પરંતુ તેણે નવા આવેલા શખસની સામે જોયું અને કંઇ બોલી નહીં. દેવદુત બાંકડાના એક ખુણા ઉપર આંખ મીંચી મસ્તક નીચું રાખી હાલ્યા ચાલ્યા સિવાય ઉંડા વિચારમાં નિમગ્ન થઇ બેઠેલો હતો. નથુની સ્ત્રી પણ શાંત થઇને બોલ્યા ચાલ્યા સિવાય ઉભી રહી હતી.

નથુએ કહ્યું: “શું તારા અંતઃકરણમાં ઇશ્વરનો વાસ નથી?” આ શબ્દોથો સ્ત્રીનુ અંતઃકરણ એકાએક નરમ થઈ ગયું અને તેણી દેવદુતના તરફ જોવા લાગી અને તેના તરફ પ્રેમવૃત્તિ ઉત્પન્ન થઈ. તે તરતજ રસોડામાં ગઈ અને બન્નેને માટે ખાવાનું લઇ આવી. નથુએ દેવદુતને પાસે બોલાવ્યો અને રોટી ખાવા આપી, અને બંને જણા સાથે બેસી ખાવા લાગ્યા. સ્ત્રી પણ એકબાજુ ઉભી રહી, દેવદુતને બારીકાઇથી જોવા લાગી, અને તેને માટે દિલમાં સદ્ભાવ ઉત્પન્ન થયો. એકાએક દેવદુતના મોં ઉપર પ્રકાશ ઉત્પન્ન થયો. તેની આંખો ચળકવા લાગી અને તે સ્ત્રીને જોઇ મ્હોં મલકાવ્યું. નથુ તથા તેની સ્ત્રી બંને આશ્ચર્ય પામ્યાં. દેવદુત અને નથુ જમી રહ્યા પછી એ વાસણ ધોયાં, અને તે પાછી દેવદુત પાસે આવીને પુછવા લાગી “ભાઇ, તમે ક્યાંથી આવેા છો ?”

“હું આ વિભાગમાં વસતો નથી.” દેવદુતે કહ્યું.