આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

"અમે નીચે સહી કરનાર કેદીઓ અરજી કરીએ છીએ કે અરજદાર બધા અશિયાટીક છે અને કુલ એકવીસ કેદીઓ છે. તેમાંના અઢાર હિન્દી છે અને બાકીના ચીના છે.

અઢાર હિન્દીને પોતાના ખોરાકને સારૂં સવારે પૂપૂ મળે છે. બાકીનાને ખોરાકમાં ચાવલ તથા ઘી મળે છે. અને ત્રણ વખત બીનીસ તથા ચાર વખત પૂપૂ મળે છે. શનિવારને દહાડે બટેટા, અને રવિવારે લીલોતરી આપવામાં આવ્યાં હતાં. ધાર્મિક કારણને લીધે અમે કોઈ ગોસ્ત ખાઈ શકતા નથી. કેટલાકને બિલ્કુલ ગોસ્ત ખાવાની બંધી છે. અને કેટલાક હલાલ ગોસ્ત નહિં હોવાથી ખાઈ શકતા નથી.

ચીનાઓને ચાવલને બદલે મકાઈ મળે છે. બધા અરજ દારને ઘણે ભાગે યૂરોપિયનોનો ખોરાક ખાવાની ટેવ છે, અને તેઓ રોટી તથા આટાની બીજી વસ્તુ ખાય છે.

અમારામાંના કોઈને પૂપૂ ખાવાની બિલ્કુલ ટેવ નથી, તેથી કેટલાકને અજીરણ થઈ આવ્યું છે.

અમારામાંના સાત જણે તો બિલ્કુલ સવારનો ખોરાક લીધોજ નથી. માત્ર કોઈ વખત કેટલાક ચીની કેદીને રોટી મળતી હતી, તેમાંથી તેઓએ દયા ખાઈ એક બે ટુકડા આપેલા તે ખાધેલા હતા. આ હકીકત અમે ગવર્નર આગળ રજૂ કરી ત્યારે ગવર્નરે જણાવ્યું કે તમે ચીનાઓની પાસેથી રોટી લીધી તે ગુન્હો કર્યો કહેવાય.

અમારી સમજ પ્રમાણે ઉપરનો ખોરાક એ તદ્દન અણઘટતો છે.

તેથી અમે તમને અરજ કરીએ છીએ કે યૂરોપિયન ધારા પ્રમાણે પૂપૂ છોડીને અમને ખોરાક મળવો જોઈએ; કે જેથી કરીને અમારો