કાનુડો કાળજાની કોર છે
કાનુડો કાળજાની કોર છે. મોરમુકુટ પીતાંબર સોહે, કુંડલકી ઝકઝોર છે. વૃન્દાવનની કુંજગલનમાં, નાચત નંદકિશોર છે. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરનકમલ ચિતચોર છે.