આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અવતારલીલા
3
રાગ બિહાગરા - તાલ તિતાલા
નાનું સરખું ગોકુળિયું, મારે વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે,
બ્રહ્માદિકને સ્વપ્ને ન આવે, આહીરને દર્શન દીધું રે. નાનું૦
ખટદર્શને ખોળ્યો ન લાધે, વેદ પુરાણ એમ ગાયે રે;
અવનવી લીલા વૃન્દાવનમાં, વન વન ધેન ચરાવે રે. નાનું૦
પુરુષોત્તમ લીલા અવતારી, દેહ ધર્યા અવિનાશી રે;
કર જોડીને કહે નરસૈંયો, ગોવાળિયા વૈકુંઠવાસી રે. નાનું૦
બાળલીલાનાં પદો
૪
રાગ કેદારો છરચરી