આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


૨૯

રાગ પ્રભાતિયું


૩૦

રાગ રામકલી-ભૈરવ અથવા પ્રભાતિયું

ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતિ;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનુપમ અધર મૂરતિ ... ધ્યાન૦
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે, નીરખતી નૌતમ સંગ સહેલી ... ધ્યાન૦
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે ... ધ્યાન૦
સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે, દરસશે દેહીથી ભજન કરતાં;
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે કાપશે દુક્રિત ધ્યાન ધરતાં ... ધ્યાન૦