આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

a

પદ ૨૯

મરી જાવું માયાને મેલી રે, મરી જાવું માયાને મેલી. ટેક૦
કોઈ તો બનાવે બાગબગીચાં, કોઈ બનાવે હવેલી રે. મ.
ધાઈ-ધૂતીને ધન ભેળું રે કીધું, પાંચ-પચીશની થેલી રે મ.
આરે કાયામાં સંતો કેશર ક્યારો, માંહીતો ઊગેલી વિષવેલી રે. મ.
બાઇ મીરાં કહે પ્રભુ ગીરધરના ગુણ, પાળ બાંધો ને પાણી પહેલી રે મ.