આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ બીજું

ભાગ પડ્યા અને ભાઈઓ ન લડ્યા, એ સેતાનાને બહુ વસમું લાગ્યું, તેણે તેના ત્રણ ગુલામોને બોલાવ્યા અને બોલ્યો : " પેલા ગામમાં મૂર્ખો ને તેના બે ભાઈઓ વસે છે. દુનિયાના સાધારણ રિવાજ પ્રમાણે તો તેઓએ ભાગલા પાડતાં લડવું જોઈતું હતું. તેને બદલે તેઓ સંપીને રહે છે. આનું કારણ પેલા મૂર્ખાની મૂર્ખાઈ સિવાય બીજું કાંઈ નથી. તેણે આપણું કામ બગાડ્યું છે. હવે તમે ત્રણ જણા એ ત્રણ ભાઈની પાસે જાઓ અને તેઓને એકબીજાની