આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬]
શ્રી પ્રેમકુમાર સહગલ
[કર્નલ : આઝાદ હિંદ ફોજ]
‘નેતાજી સુભાષચંદ્ર બોઝ સમક્ષ જે પ્રતિજ્ઞા મેં લીધી હતી તે પ્રતિજ્ઞા આજે પણ કાયમ છે. અમે યુદ્ધ હારી ગયા છીએ, પણ આઝાદીનો જંગ અમે છોડી દીધો નથી અને જ્યાં સુધી આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ જંગ ચાલુ જ છે. પૂર્વ એશીયામાં અમે નેતાજીની આજ્ઞા- નુસાર શસ્ત્રોથી લડ્યા. પણ હવે પલ્ટાયેલા સંજોગોમાં મહાસભાના નેતૃત્વ તળે આઝાદી માટે લડીશું.’
કલકતાના નેતાજીના નિવાસસ્થાનમાં નેતાજીની તસ્વીર સમક્ષ, પુનઃ પ્રતિજ્ઞા લેતાં કર્નલ શ્રી. પ્રેમકુમાર સહગલે ઉપરના શબ્દો ઉચ્ચાર્યાં હતા. દિલ્હીના લાલ કિલ્લામાં બ્રિટિશ સલ્તનતે બેસાડેલી લશ્કરી અદાલત સમક્ષ ગંભીર