આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
નેતાજીના સાથીદારો
 

(ર) કોઈ પણ અમલદારે જરા પણ કાયરતા બતાવી નથી અને અણીના પ્રસંગે તેઓ ખૂબ જ વીરતાથી લડ્યા છે.

તા. ૨ જીના રોજ જ્યારે દુશ્મનો આપણા મથકો સુધી પહોંચ્યા ત્યારે લેફ. યાસીનખાને જાતે ગોળીબાર કર્યો. દુશ્મનની યાંત્રિક તોપોના મારા વચ્ચે તે આપણા મથકે પહોંચી જઈને ત્યાંના આપણા સૈનિકોને હિંમત આપતા રહ્યા. તા. ર૯ મીની રાત્રે પણ એવી જ વીરતાથી લડ્યા હતા.

એસ. ઓ. અબ્દુલાખાનને તેની વીરતા માટે વીર-એ-હિન્દનો ઇલ્કાબ એનાયત કરવાની ભલામણ કરવામાં આવી છે. તેઓ અને એસ. ઓ. અબ્દુલ હકીમ હંમેશાં મુશ્કેલ પરિસ્થિતિમાં ચોકી કરતા રહ્યા છે.

તા. ૩ જીની રાત્રે લેફ. ગંગાસીંગે ૪૫ સૈનિકો સાથે આપણા કરતાં બઢતી તાકાતવાળી દુશ્મન ટુકડી પર છાપો માર્યો અને તેને ભગાડી મૂકી.

(૩) દુશ્મનનો સામનો કરતાં કોઈ પણ સૈનિકે કાયરતા પિછાની નથી. આપણા થાણા પર આપણા કરતાં વધુ તાકાતવાળી દુશ્મન ટુકડીએ હુમલો કર્યો ત્યારે એક પણ વ્યક્તિ પોતાના સ્થાન પરથી પાછી હઠી નહતી આપણા મર્યાદિત શસ્ત્રો અને સંખ્યાબળ સાથે આપણે બઢતા બળ અને સંખ્યાવાળી દુશ્મન ટુકડી પર હુમલો કર્યો ત્યારે પણ એક પણ સૈનિક હતાશ થયો નહતો. જ્યાં સુધી ટુકડી દુશ્મનનો મુકાબલો કરતી હતી, ત્યાં સુધી હતાશા ફેલાવા પામી નહતી એટલુંજ નહિ પણ આ ટુકડી વીરતાથી લડી હતી, એનું નિશ્ચય બળ અજોડ હતું. હીકારી કોકટન ડીવીઝનનો લેફ. ઇનુઝુકા આ વીરતાથી આશ્ચર્યમુગ્ધ બન્યો હતો. તેણે મને જણાવ્યું હતું કે, દુશ્મનની આટલી મોટી તાકાત સામે આઝાદ ફોજના સૈનિકોનો એ અત્યાર સુધીના