આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
નેતાજીના સાથીદારો
 


અમદાવાદની એક વિરાટ સભા સમક્ષ, આ શબ્દો ઉચ્ચારનાર કર્નલ ધીલોનને કોણ પીછાનતું નથી ? લાલ કિલ્લાના ઐતિહાસિક મુકદમામાં સંડોવાયેલા ત્રણ સિંહોમાંના એ એક છે.

ઉંચા, પાતળા અને પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા કર્નલ ધીલોનની વાણીમાં જોશ અને દર્દભર્યા છે. તેઓ પોતે સૈનિક છે અને સૈનિક તરીકેનું જીવન જીવે છે, એટલે તેઓ શિસ્તના ચૂસ્ત હિમાયતી હોય જ.

જંગી માનવ મેદનીવાળી સભામાં જ્યારે તે ગેરશિસ્ત જુએ છે, અવ્યવસ્થા જુએ છે ત્યારે તેઓ વ્યથા અનુભવે છે. સહુને તેમનો આદેશ એક જ હોય છે: ‘શિસ્ત જાળવો.’

બર્મામાં નેતાજીને સાંભળવા જમા થતો લાખોની મેદનીવાળી સભાઓમાં તેમણે હાજરી આપી છે. પણ ત્યાં ગેરશિસ્ત તેમણે જોઈ નથી, એથી હિંદીઓની અવ્યવસ્થા તેમને ખૂંચે છે.

એમના દિલ અને દિમાકમાં ખૂમારી છે. ગૌરવથી એમની ગરદન સદાય ટટ્ટાર રહે છે. શીખ જાતિને જન્મ સિદ્ધ એવા લડાયક ખમીરના દર્શન તો પહેલી મુલાકાતે થાય છે.

એમનુ નામ ગુરુબક્ષસીંગ ધીલોન. તેમના પિતાનું નામ સરદાર ઠાકુરસીંગ ધીલોન, માતાનુ નામ શ્રીમતી કરણીદેવી ધીલોન: તેમના પિતા સરદાર ઠાકુરસીંગ ધીલોન બત્રીસ વર્ષની એકધારી લશ્કરી સેવા બજાવ્યા પછી નિવૃત થયા છે: તેમનું કુટુંબ વિશાળ છે:

શીખ જાતિ લડાયક જાતિ છે. બ્રિટિશ સલ્તનતની સ્થાપના પછી શીખોએ સલ્તનતની રક્ષા અને તેની વૃદ્ધિ માટે, આજ સુધી પોતાનાં લોહી વહાવ્યાં છે.

કર્નલ ધીલોનના પિતા જેમ લશ્કરી સેવા બજાવીને નિવૃત થયા છે, તેવી જ રીતે તેમના વડીલ બધુ ગુરદયાલસીંગ ધીલોન પણ લશ્કરમાં જમાદાર હેડક્લાર્ક હતા. તેમના બીજા ભાઈ