આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
નેતાજીના સાથીદારો
 

અઠવાડિયામાં એક દિવસ - ‘જવાનો કા દીન’ તરીકે ઉજવવા માંડ્યો. એ દિવસે અદનામાં અદના સૈનિકથી માંડીને કમાન્ડિંગ ઓફિસિર ધીલોન સુદ્ધાં સાથે જ ભોજન લેતા. ક્યારેક ધીલેાનની કાવ્યપંક્તિમાંથી વાતાવરણ ઉત્સાહભર્યું જોમભર્યું બની જતું હતું એ દિવસનું સૂત્ર હતું! ખૂનકા બદલા ખૂન, ખૂન, ખૂન.

જાપાની અફસરની દરમિયાનગીરી ધીલોને કયારેય બરદાસ કરી નથી. એક રાત્રે જાપાનિઝ અફસરો ધીલોનની છાવણીમાં ધસી આવ્યા. ધીલોને તેમને સંભળાવી દીધું, ‘અબધડી તમે ચાલ્યા જાવ નહિ તો મારા સંત્રી તમને ઠાર કરશે’ અને તેઓ ચાલ્યા ગયા.

એક વખત જાપાનિઝ અમલદારોએ બર્મિઝ સત્તાવાળાઓને વિનંતિ કરી કે ‘કૃપા કરીને ચોક્કસ ઇમારત આઝાદ હિંદ ફોજવાળા મેળવી લે નહિ એ જોશો.’ ત્યારે બર્મિઝ સત્તાવાળાઓએ જવાબ દીધો કે તમે કર્નલ ધીલોનને સીધા મળો. પણ તેઓને ડર હતો કે કર્નલ ધીલોન જાપાનિઝ અફસરોની દરમિયાનગીરી સહન કરતા નથી. એટલે તેમનું અપમાન થઈ બેસશે.

નહેરૂ બ્રિગેડની શિસ્ત ધીમે ધીમે સંતોષકારક થતી જતી હતી, પણ શસ્ત્રસરંજામની દૃષ્ટિએ હાલત ઘણી કંગાલ હતી. સ્ટાફ અને ઓફિસરોની તંગી નડતી હતી, મશિનગનો ન હતી. પટાઓ નહતા અને શસ્રો માટેનાં વધારાનાં ઓજારો પણ નહતાં. બે મોટર ફક્ત હતી. તે પણ ગમે ત્યારે અટકી જાય તેવી.

નેતાજીનો હુકમ મળ્યો ઇરાવદી નદીની પશ્ચિમે પેગોનની સામે રક્ષણાત્મક હરોળ ઊભી કરો. આ મથકેથી કર્નલ ધીલોન ૬૦ માઇલ દૂર હતા અને તેમની પાસે ૩૭ બળદ ગાડાં જ વાહનમાં હતાં અને એક પૂલ પરથી પસાર થવાનું હતું અને જાપાનિઝોના વડા મથક સાથે કે આઝાદ હિંદ ફોજના વડા મથક સાથે સંપર્ક સાધવાને માટે કોઈ માર્ગ પણ ન હતો, પણ નેતાજીએ જે હુકમ મોકલ્યો હતો તે મળ્યો, તા. ૨૯ મી