આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
નેતાજીના સાથીદારો
 


પ્રતિ,

મિત્રદળોના સેનાપતિ જોગ,

હું મારા અફસરો અને સાથીદારો સાથે, યુદ્ધ કેદીઓ તરીકે શરણે આવવાને તૈયાર છીએ.

(સહી) જી. એસ. ધીલોન
કર્નલ

મિત્રદળોના સેનાપતિ કર્નલ ધીલોનની માગણીનો સ્વીકાર કરતાં ઘડી પણ અચકાય શા માટે ? તેમણે તરત જ કર્નલ ધીલોનને જવાબ આપ્યો અને કર્નલ ધીલોન સહિત આઝાદ હિંદ ફોજના સૈનિકો, મિત્રદળોના સેનાપતિને શરણે થયા.

કર્નલ ધીલોનને તેમના સૈનિકોથી જુદા પાડવામાં આવ્યા અને ત્યાંથી કેદી હાલતમાં રંગુન લઈ જવામાં આવ્યા. એમની પહેલાં જ મેજર જનરલ શાહનવાઝને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. કર્નલ ધીલોનને પણ રંગુનથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં મેજર જનરલ શાહનવાઝ અને કર્નલ પ્રેમ સહગલ સાથે અટકાયતમાં રાખવામાં આવ્યા.

હિંદી સરકારે ત્રણે અફસરો સામેના કેસ ચલાવવા માટે, લાલ કિલ્લામાં જ લશ્કરી અદાલતની સ્થાપના કરી. આ મુકદમાએ હિંદભરમાં ભારે રોષ પેદા કર્યો, મહાસભાએ ત્રણેના બચાવ માટે ચૂનંદા ધારાશાસ્ત્રીઓની એક કમિટી નીમી એ બધી વિગતો આગળનાં પાનામાં આપવામાં આવી છે.

લશ્કરી અદાલત સમક્ષ, કર્નલ ધીલોને નિવેદન કરતાં જણાવ્યુ હતું કે: