આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
નેતાજીના સાથીદારો
 

પાસે હળવી અને મધ્યમ કદની ટેન્કો અને કેરીઅર્સ પણ હોવાનું જણાયું છે.

પોપાથી છ માઈલ દૂર આવેલા આપણા મથક પર સખ્ત બોંબમારો ઉત્તર તરફથી કરવામાં આાવ્યો હતો. જેના પરિણામે આપણી નીચે મુજબ ખૂવારી થવા પામી છે.

રાઈફલ ૬, બેયોનેટ ૬, ગ્રેન્ડીસ ૨, રેશનટીન ૧૧, ગ્રાઉન્ડ શીટ્સ ૧૧, ઇક્વીપમેન્ટસ ૯, રાઉન્ડસ ૩૦૩”ના બોલ ૫૦૦, બ્લેન્કેટ્સ ૯, પે બુક્સ ૮. માત્ર એક જ સૈનિકને ઈજા થવા પામી છે.

તા. ૩ માર્ચ ’૪૫ : દુશ્મનો જેઓ પીન્બીન તરફ પૂર્વમાં અને ટૌંગથા તરફ આગળ વધ્યા હોવાનું જણાય છે, તેના એક ભાગે મીંગ્યાન ખાતે આક્રમણ શરૂ કર્યું છે. અને બીજા પોપા તરફથી ટૌંગથા તરફ આક્રમણ શરૂ કર્યું છે. આઝાદ હિંદ ફોજની ટુકડીઓ ક્યાઉક તરફથી નૌન્ગુના રસ્તા પર આક્રમણ કરી રહી છે.

(સહી) જી. એસ. ધીલોન
મેજર સી.


બીજો પરિપત્ર જે તા. ૪ માર્ચ ૧૯૪૫ના રોજ પ્રસિદ્ધ કર્યો અને જે ખૂબ જ ખાનગી હતો તેમાં વધુ માહિતીઓ આપવામાં આવી છે.

તા. ૩ માર્ચ ’૪૫ : દુશ્મનની સંખ્યા ૩૦૦ હિંદીઓની છે. તેઓ કૌનગ્નો નજીક પડેલી છે. કૌને પોદૌગ ન્યૌગ રોડ પરથી ૪ કેરીયરો એયૌક પેદાંગથી ૧૩ માઈલ દૂર નજરે પડ્યા. સાંજના ૮૦૦ દુશ્મનો નજરે પડ્યા હતા.

પોઝુથી બે માઈલ નજદિક દુશ્મનની નિરીક્ષક ટુકડી આવી પહોંચી હતી. જાપાની થાણાંઓમાંથી તેમના પર ગોળીબાર થયો હતો અને તેઓ નાસી ગયા હતા.