આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧


અને એ કવિકોડ કાંઈ અવળ પગલાંના કાવ્યકોડ નથી. રાસનાં ગીતો એટલે અડધોઅડધ ગુર્જરમહાપ્રજાનાં હૈયાગીતો સમગ્ર છાપામંડળ (Associated Press)ને એક તાર આવે તે છાપાછાપામાં છપાય; રેડિયોનું મધ્યવર્તી વીજચક્ર એક વીજળી છોડે એ વીજળી નાચતીરમતી દૂરઅદૂરના કુળવાસોમાં જઈને પડઘા પાડે, એમ રાસવીજળી પણ ઘરઘરમાં ઝીલાય છે ને હૈયે હૈયે પડઘા પાડે છે. મોરલી બોલે ને મણિધર ડોલે એમ જનતાનાં હૈયાહિન્ડોળ ડોલાવે એ જ સાચી કવિતા. દૂધઘીનાં સોનારૂપાનાં હીરામોતીનાં કે કવિતાનાં જનતા મૂલવે એ જ સાચાં મૂલ.

થોડાંક વર્ષો ઉપર જૂના રાસોનો આપણો એક રાસસંગ્રહ છપાયો હતો. સંગ્રહકારનો શ્રમ ઠીક હતો. એક પ્રત મ્હને મોકલી અભિપ્રાય પૂછાવ્યો. ઉત્તરમાં પૂછ્યું કે અર્વાચીન ગુજરાતની નવશકુન્તલાઓને આ રાસસંગ્રહ સન્તોખશે તો ખરો ને? ચાળીસેક વર્ષોની રાસરચનાના અનુભવ પછી આજે યે મ્હને લાગે છે કે મ્હારા કે પરના, જૂના કે નવા, સ્વરચ્યા કે પરરચ્યા - સૌ રાસસંગ્રહોનું સાચું ને પરમ પરીક્ષાસૂત્ર એ છે કે ગુજરાતની નવશકુન્તલાઓને એ રાસસંગ્રહ સન્તોખશે ખરા?

ન્હાના ન્હાના રાસના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં કહ્યું હતું કે આપણા રાસમાં સંગીતનાં ત્રણે અંગે છેઃ ગીત વાદ્ય અને નૃત્ય, આપણે ત્ય્હાંનાં પરદેશી છાપાંઓ રાસરમણાને આજ Garba Dance કહે છે. એકદા એક