પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૯૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિનારા પર
83
 

નીકળી પરસાળમાં આવ્યા. તેઓએ પ્રેક્ષકો બનવામાં જ શાણપણ સમજી લીધું.

સીડી પરથી ફરી વાર ગાનના સૂર ઊઠ્યાઃ

ભૂમિ વલ્લભીની
છે તમ અશ્રુભીની
સ્મૃતિ તક્ષશિલાની
ફરીથી જગાવો!
ન જાઓ, ન જાઓ!... ચિરંતન૦

મિનારા ઉપર ઊભે ઊભે ગાનને ફરી ફરી ઉથલાવતા નિરંજને અગાધ સાગરના સીમાડા પર જલસ્નાન કરીને સૂર્યબિંબ નીકળતું જોયું ને એણે એક કપડાનો ટુકડો ગજવામાંથી કાઢીને એક લાકડીના દંડીકા પર પરોવ્યો; મિનારા ઉપર ગોઠવ્યો.

કાપડના સફેદ ટુકડા ઉપર સાદું ભરતકામ હતું. એક રાજહંસઃ હંસ પર સવાર બનેલી એક ચિરયૌવનાઃ કુમારિકાના હાથમાં વીણાનું વાદ્ય.

ન જાઓ!
ન જાઓ!

એ પદને સ્તોત્ર માફક ગાતાં કઢંગા બનેલા નિરંજનના કંઠમાં છેલ્લી પંક્તિઓ ચાલતી હતીઃ

તને નિન્દનારા
ન જાણે બિચારા,
ભૂમિ-પ્રેમ ધારા
અહીંથી વહી'તી... ચિરંતન૦

બધા દેશવીરો
સુધારક ફકીરો
ને શોધક સુધીરો
અહીંથી ઉઠ્યા'તા.. ચિરંતન૦