આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
વિરાગિણીની વીણા.
(ખંડહરિગીત.)
મન્દ અનિલ પલાણીને
મધુર રવ રજની વિશે
હૃદય લેતો તાણીને
કય્હાં થકી આ ? કો નવ દીસે.૧
હા! પ્હણે સરિતાતટે
એકલી કો સુન્દરી
બેઠી આસન યોગમાં,
વીણા ઉછંગ વિશે ધરી.૨
કેશભાર સમીરમાં
ખેલતો કંઈ મન્દ આ
શ્વેત સાદા ચીરમાં
પૂરે ધવલતા ચન્દ આ.૩
ગીત અમીરસ રેલતી
શાન્તિમાં એ સુન્દરીઃ
ગૂઢ રહી; કંઈ માનથી
સુણિયે હવે મૌન જ ધરી.૪