આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
“પ્રેમના સંદેશ કય્હાં ?”
યશોધરા :—
“તુજ પ્રેમના સંદેશ કય્હાં ?”
બુદ્ધદેવ—
(ખંડહરિગીત.)
“વ્યોમ ભૂરા હાસથી
હસે નિર્મળ વેશમાં,
લખ્યા કમળ કર થકી
સુજ પ્રેમના સંદેશ ત્ય્હાં.૧
ચન્દ્રિકા સાગરપેટે
સૂતી વેરી કેશ જ્ય્હાં,
લેખની દિવ્ય જ લખે
મુજ પ્રેમના સંદેશ ત્ય્હાં.૨
મૃત્યુ ને જીવનતણા
તુઙ્ગ પ્રૌઢ તરઙ્ગ જે
ઝૂઝતા કંઈ કારમાં,
પ્રિય નાથ નિજ તે મહિં ધૂજે;૩
યુવતિ ભાવ અનન્યથી
સેવતી સ્થિર આશમાં,
આંસુ હૃદયે રોપતી,