આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તાત તણે મન કાંઇ નહિ, મુને સબળો લાગે સ્નેહજી;
છોરું પોતાનાં જાણી કીજે, દયાળ ન દીજે છેહજી. દયા૦ (૧૭)

બાણાસુસ મહા-પુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી;
બાળક ઉપર હાથ શો કરવો, કાદપિ હોય અન્યાયજી. દયા૦ (૧૮)

વહાલાં થઈને વેર જ વાળો, શું નથી આવતી લાજજી;
નીચ પદારથ નથી કુળ નીચું, કૃષ્ણકુમાર મહારાજજી. દયા૦ (૧૯)

નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી;
મોટા સાથે વિરોધ ન કરીએ, નહિ નિર્બળ હળધર શામજી. દયા૦ (૨૦)

સકળ પૃથ્વી ચાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી;
વૈર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી ? દયા૦ (૨૧)

જુદ્ધ સમે આકાશે રહીને, જુવે છે નારદ દેવજી;
ભય મા આણીશ અમે જાશું દ્વારામતી, જુદ્ધ કરશું તતખેવજી. દયા૦ (૨૨)

નિર્ભય જાણી વીણાધર ગયા, પરવરીઆ આકાશજી;
પહોંચી દ્વારકાં ઊતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. દયા૦ (૨૩)

(વલણ)

ભેટ્યા શ્રીઅવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી;
કહે નારદ અનિરુદ્ધને, રાખ્યો કારાગ્રહમાં દૈત્યે મળી રે. (૨૪)


કડવું ૬૮મું
નારદજી દ્વારિકામાં - નારદ - શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ
રાગ : ધનાશ્રી

શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ જોધજી;
હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધાશોધજી. ૧

હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઇ દોરીજી;
હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. ૨

રતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી;
રુકમણિ, રોહિણી, દેવકી, સરવે કરે આક્રંદજી. ૩

જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી;
વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. ૪

વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ;
વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ૫

ઉગ્રસેન કહે અચરજ મોટું; કોણે હર્યો હિંડોળોજી;
દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી. ૬

જાદવને જદુનાથ કહે છે, ભાઇ શાને કરો છો શ્રમજી;
ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. ૭

અગિયાર વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી;
પ્રધ્યુમને શંખ હરી ગયો, આવ્યો સોળમે વરસેજી. ૮

તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવજી;
કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવજી. ૯

પાંચ માસ વહીં ગયા ને, જાદવ છે મહાદુ:ખજી;
શોણિતપુરથી કૃષ્ણસભામાં, આવ્યા નારદઋષિજી. ૧૦

હરિ સાથે જાદવ થયા ઊભા, પાન મુનિને દીધુંજી;
આનંદે આસન આપ્યું છે, ભાવે પૂજન કીધુંજી. ૧૧

નારદની પૂજા કરીને, હરિએ કર્યા પ્રણામજી,
કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કાંઇ કામજી ? ૧૨

કરજોડી નારદ કહે છે, સાંભળો જુગજીવન;
પુત્ર તમારા સર્વેનું મારે, કરવું છે દરશનજી ૧૩

મારા જોતાં પુત્ર સરવેને, સાથેથી તેડાવોજી;
એક લાખને એકસઠ હજાર, એ સૌ આગળ આવેજી ૧૪

સર્વે પુત્ર સામું જોઇને, પૂછે છે નારદ મુનિજી;
આટલામાં નથી દીસતો, પ્રધુમનનો તનજી ૧૫

ભગવાન કહે છે નારદજીને, કાંઇ તમે જાણો છો ભાળજી;
ઘરમાંથી જતો રહ્યો છે, પધ્યુમનનો બાળજી ૧૬

નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી;
જેણે ઝાઝા દીકરા, તેને દૈવની વેઠજી. ૧૭


ઓખાહરણ- ૩૪