આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્રદર્શન:૧૩૫
 

કાગળ ઝૂંટવી શકાય નહિ.

‘છેવટે આવું જ કરશો ને ? અમે અમારા મનથી જીવ આપીએ ત્યારે બહેન તો અમને ધક્કા મારે ! નથી જોઈતો તમારો કાગળ. અમે બધું જાણીએ છીએ કે એ ક્યાંથી આવ્યો છે !' લક્ષ્મીએ મૃદુ રીસ ચઢાવી.

'તું જાણે છે ત્યારે મને પૂછવા કેમ આવી ?' મંજરીએ ગુસ્સો ચાલુ રાખ્યો.

'મને શી ખબર કે તમે હજીયે જુદાઈ રાખશો ?’ લક્ષ્મીએ દયા ઉપજાવતી લાચારી બતાવી કહ્યું.

લક્ષ્મીને માટે ફરિયાદ કરવા સરખું મંજરીને કાંઈ જ દેખાયું નહોતું. ઊલટું પોતાને માટે અનહદ કાળજી રાખતી લક્ષ્મી પ્રત્યે તેને લાગણી હતી. મંજરીનું મન કુમળી કે તીવ્ર એક લાગણી દેખાડવાની સ્મૃતિ ધરાવતું જ મટી ગયું હતું ખરું, છતાં લક્ષ્મી છેક અણગમતી બની ગઈ નહોતી. તેના લાચારીભર્યા શબ્દોએ મંજરીને પિગળાવી.

વળી મંજરી એકલી હતી. ભયાનક એકલવાયાપણાની ઓથાર તેને દબાવી રહી હતી. જેની સાથે મંજરી પરણી તેની સાથે તે એકતા સાધી શકી નહોતી. માબાપથી તે જુદી પડી ગઈ હતી. માબાપમય જીવન હવે તેને માટે શક્ય નહોતું. જેની જુદાઈ તેણે સ્વપ્ને પણ ચાહી નહોતી તે સનાતન હવે તેને આ જન્મે પોતાની કરી શકે એમ નહોતું. માત્ર આ એકલી લક્ષ્મી વારે ઘડીએ મંજરીની આસપાસ ઝઝૂમ્યા કરતી હતી અને તેના જીવનમાં ઊંડે ઊતરી સમભાવ બતાવતા મથતી હતી. મંજરીનું કોઈ જ નહોતું. લક્ષ્મીને એ એકલાપણું જણાવવાનું મંજરીને મન થયું.

'જગતમાં મારું કોઈ નથી, શા માટે હું તને કશુંયે કહું? કદાચ કહું તેથીયે શું ?' મંજરી દુઃખભર્યા અવાજથી બોલી.

લક્ષ્મીને લાગ્યું કે તેના પાસા સવળા પડે છે. મંજરીને માથે અને વાંસે હાથ ફેરવી તેણે જણાવ્યું :

'ના રે, બહેન ! એવું રાખીએ નહિ. એકાદ જણ તો પોતાનું કરવું કે જેને બધુંયે કહેવાય. દુઃખ કહીએ તો તે અડધું ઓછું થઈ જાય.’

બહારથી વ્યોમેશચંદ્રની બૂમ સંભળાઈ :

'લક્ષ્મી ! લક્ષ્મી !'

મંજરી પાસેથી જરા પણ ખસ્યા વગર લક્ષ્મીએ જવાબ દીધો:

‘કેમ, શું છે ? હું તો અહીં બહેન પાસે છું.'

વ્યોમેશચંદ્ર બારણું ખોલી અંદર આવ્યા. આ ઓરડીમાં આવ્યે