આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવો ડર રાખવાની બિલકુલ જરૂર નથી. કાર્યવાહક સમિતિએ કંઈ પણ વ્યાપક નીતિ ઘડી કાઢેલી નથી. મહાસભાએ કાશી વિદ્યાપીઠ, જામિયા માલિયા, તિલક વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ અને એવી અનેક રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા ઉપરાંત કેળવણીના આખા ક્ષેત્રને લાગુ પડે એવી કોઈ પણ જાતની જાહેરાત કરી નથી. મેં જે લખ્યું તે આ વિષયની મારી ચર્ચામાં મારા પોતાના ફાળા તરીકે લખ્યું છે. કેળવણીની અત્યારની પધ્ધતિએ યુવકવર્ગને અને હિંદુસ્તાનની ભાષાઓને તેમ જ સર્વમાન્ય સંસ્કૃતિને જે પારાવાર નુકસાન પહોંચાડ્યું છે, તેની સામે મારા મનમાં ઘણી તીવ્ર લાગણી છે. મારા વિચારો બહુ મકકમ છે. પણ સામાન્યપણે મહાસભાવાદીઓની પાસે હું મારા વિચારનો સ્વીકાર કરાવી શક્યો છું એવો મારો દાવો નથી. જે કેળવણીકારો મહાસભાના વાતાવરણથી અળગા છે ને જેમનો હિંદુસ્ત્નાનની યુનિવર્સિટીઓ પર પ્રભાવ છે, તેમના વિષે તો કહી જ શું શકાય? એમના વિચારો બદલવા એ સહેલું કામ નથી. આ કાગળ લખનાર મિત્ર અને એમના જેવો ડર રાખનારાઓ એટલી ખાતરી રાખે કે, શ્રી શ્રીનિવાસ શાસ્ત્રીએ જે સલાહ આપી છે તે આ વિષય સાથે સંબંધ ધરાવનારાઓ હૈયામાં ઉતારશે, અને પૂરા વિચાર વગર અને કેળવ્ણીમાં જેમની સલાહ કીમતી ગણાય એવા માણસોની સાથે સલાહ મસલત કર્યા વગર કંઈ પણ ગંભીર પગલાં ભરવામાં નહીં આવે. હું એટલું ઉમેરું કે, મેં ઘણા કેળવણીકારો સાથે પત્રવહેવાર ક્યારનો શરૂ કરી દીધેલો છે, અને મારી પાસે જે કીમતી અભિપ્રાયો આવવા લાગ્યા છે તે સામાન્યપણે મારી યોજનાની સાથે સંમ્તિ સૂચવે છે, એ કહેતાં મને આનંદ થાય છે.

ह.बं. , ૨૯-૮-'૩૭

['અક્ષરજ્ઞાનનું શું?' એ લેખ]

આ પત્રમાં મેં કેળવણી વિષે જે વિચારો પ્રગટ કર્યા છે, તેના પર ઘણા અભિપ્રાયો મારી પાસે આવ્યા છે. એમાં જે સૌથી અગત્યના

૧૪