આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(૨) એ કેળવણીમાં છેવટ લગી હાથનો પૂરો ઉપયોગ થતો હોય, એટલેકે હાથ વડે કંઈક ઉદ્યમ છેવટ લગી થતો હોય.

(૩) કેળવણીમાત્ર પોતાના પ્રાંતની ભાષામાં અપાવી જોઈએ.

(૪) આમાં સાંપ્રદાયિક ધર્મને સ્થાન નથી. સાર્વજનિક નીતિને પૂરું સ્થાન હોય.

(૫) આ કેળવણી એવી છે કે જેને બાળક કે બીજા સીખે એટલે તે વિદ્યાર્થીના ઘરમાં ને ગામમાં પ્રવેશ કરે.

(૬) વળી, આ કેળવણી લેતા કરોડો વિદ્યાર્થીઓ પોતાને હિંદુસ્તાનનું અવિભાજ્ય અંગ ગણશે, તેથી બધા પ્રાંતના વિદ્યાર્થી સમજી શકે એવી એક ભાષા હોવી જોઈશે. આ ભાષા બંને લિપિ - નાગરી અને ઉર્દૂમાં લખાતી હિંદુસ્તાની જ હોઈ શકે.

આ પાયાનો વિચાર કર્યા વિના કે તેની અવગણના કરીને નવી વિદ્યાપીઠો થાય એ દેશને લાભ પહોંચાડે એમ હું માનતો નથી, નુકસાન જ કરે. તેથી બધું વિચારતાં સહુને લાગવું જોઈએ કે, નવી વિદ્યાપીઠ કાઢતાં અચકાવું ઘટે છે.

નવી દિલ્હી, ૨૬-૧૦-'૪૭

ह० बं० તા. ૨-૧૧-'૪૭

૧૪૨