આર્યનાયકમ્ : ગયે વખતે અધ્યાપન મંદિરોમાં સાહિત્ય તૈયાર કરી શકજે એવા દસ જણ હતા. એમાંથી બે જણ મદ્રાસમાં છે. તેમણે અમે આપી દઈએ.
અવિનાશલિંગમ્ : મારી સૂચના છે કે પુસ્તકો સુંદર રીતે છપાવવાં જોઈએ.
ગાંધીજી : પાયાની કેળવણીનો અર્થ હલકા પ્રકારનું કામ નથી.
અવિનાશલિંગમ્ : પુસ્તકો દેખાવ વગેરેમાં એવાં ના હોય કે બાળકો પોતાની મેળે તેમના તરફ આકર્ષાય.
લોકલ બોર્ડની શાળાઓ
ઝાકિર સાહેબ : સંયુક્ત પ્રાંતોનો હેવાલ વંચાયો. સૌને લાગ્યું કે, પાયાની કેળવણીની શાળાઓ લોકલ બોર્ડ પાસેથી લઈને સરકારે પોતે ચલાવવી જોઈએ. એક રીતે આવાં કામ કમિટીઓ કરે તે સારું છે. પણ ત્યાં કામ કેમ ચાલે છે તે તો તમે જાણો છો. હમણાં પણ કાર્યક્રમ તો સરકાર જ બનાવે છે, પણ તેનો અમલ લોકલ બોર્ડો કરે છે. તેઓ પૈસા ખાઈ જાય છે, શિક્ષકોને પગારા નથી મળતા, એટલે શાળાઓ સરકાર જ ચલાવે તે સારું.
ગાંધીજી : આહે તો અમને કાશી ખબરાં નથી. લોકલો બોરડો કેવું કામ ચલાવે છે તે જાઉં તો કંઈક કહી શકું કે, જો લોકલ બોર્ડો પોતાની શાળાઓ પોતાની રાજીખુશીથી સરકારને આપતી હોય ને સરકારને લાગે કે એ કામ કરી શકશે તો સરકાર તે લઈ લે.
ઝાકિર સાહેબ : પછી પાયાની કેળવણી પછીની કેળવણીનો અહેવાલ વંચાયો. એક મહિના પછી વિદ્યાર્થીઓએ પાંચ કલાક કામ કરીને આઠ આના રોજ કમાઈ શકે છે. હજી તો કામ ની શરૂઆત છે. તેનો ખરો અંદાજ થોડા વખત પછી જ કાઢી શકાય. ત્રીજી વાત સ્વાવલંબન વિષે થઈ. એ જાજૂજી કહેશે.
સ્વાવલંબન
જાજૂજી : પાયાની કેળવણીને સાત વરસ થઈ ગયાં. તેમાંથી પસાર થયેલા છોકરાઓ પોતાના પગ પર ઊભા રહી શકે કે, કેમ, એ આજે