આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે નહીં. અત્યારની પ્રાથમિમ કેળવણી તો એક જાળ અને ભ્રમ્રૂપ છે એ નિર્વિવાદ વાત છે.

શ્રી નરહરિ પરીખના આંકડા આ યોજનાને જેટલો ટેકો આપી શકે એટલો આપવાને માટે લખાયેલ છે. એ આંકડા પરથી જ આખરી નિર્ણય ન બાંધી શકાય. એ આંકડા પ્રોત્સાહન જરૂર આપે છે. ઉત્સાહી માણસને ને એઠીક ઠીક હકીકતનું ભાતું આપે છે. સાત વરસ એ મારી યોજનાનું સવિભાજ્ય અંગ નથી. એમ પણ બેને કે, મેં ધારેલી બૌદ્ધિક ભૂમિકાએ પહોંચવાને માટે વધારે વખત લાગે. શિક્ષણનો સમય લંબાવવાથી રાષ્ટ્રને કશું જ નુકશાન થવાનું નથી. મારી યોજનાના આવશ્યક અંગો આપ્રમાણે છે :

(૧) એકંદરે જોતાં કોઈ એક કે અનેક ઉદ્યોગ એ છોકરા કે છોકરીના સર્વાંગી વિકાસનું સારામાં સારું સાધન છે, અને તેથી આખો અભ્યાસક્રમ ઉદ્યોગશિક્ષનની આસપાસ ગૂંથાવો જોઈએ.

(૨) આ કલ્પના પ્રમાણેની પ્રાથમિક કેળવણી એકંદરે સ્વાવલંબી થવાની જ, જો કે પહેલા વરસના અને બીજા વરસના પણ અભ્યાસક્રમમાં તે કદાચ પૂરી સ્વાવલંબી ન બને. અહેં પ્રાથમિક કેળવણી એટલે જેનું મેં ઉપર વર્નન કર્યું છે તે.

ગણિત અને બીજા વિષયો ઉદ્યોગ દ્વારા શીખવવાની શક્યતા વિષે આ અશ્યાપકે શંકા ઉઠાવી છે. એમાં તે અનુભવ વિના બોલે છે.હું જાત અનુભવપરથી પરથી બોલી શકું છું. દક્ષિણ આફ્રિકામાં ટૉલ્સટૉય ફાર્મ પર જે છોકરાછોકરીઓના શિક્ષણમાટે હું સીધી રીતે જવાબદાર હતો તેમનો સર્વાંગી વિકાસ સાધતાં મને કશી મુશ્કેલી નડી નહોતી. ત્યાં શિક્ષણનું મધ્યબિંદુ તે આઠેક કલાકનો ઉદ્યોગ હતો. એમને એક કે બહુ બહુ તો બે કલાકનું અક્ષરજ્ઞાનનું શિક્ષણ મળતું. ઉદ્યોગમાં ખોદવું, રાંધવું, પાયખાનાંની સફાઈ કરવી, ઝાડું વાળવું, ચંપલ બનાવવાં, સાદું સુતારી કામ, અને સંદેશા લઈ જવા લાવવાનું એટલાં કામો હતાં. બાળકોની ઉંમર છથી સોળ વરસ સુધીની હતી. એ પ્રયોગ ત્યાર પછી તો ઘણો ફૂલ્યોફાલ્યો છે.

ह० बं० ૩-૧૦-'૩૭

૨૭