આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨.
કેટલાક પ્રશ્નો
[૧૯૩૭મા મે માસની ૨૨મી તારીખે તીથલમાં ગુજરાતની રાષ્ટ્રીય શાળાના સિક્ષકોનું એક નાનું સંએલન થયું હતું. એ સંમેલન બોલાવનારે આમંત્રિત શિક્ષકોને નીચેની પ્રશ્નાવલિ અગાઉથી મોકલી રાખી હતી.]
- ૧. આપણાં ગામડાંને અનુકૂળ ને લાભદાયી થઇ શકે એવી કેળવણી કઇ ગણાય? ખરી કેળવણી ગામડે ગામડે પહોંચાડવાની યોજના.
- ૨. આમવર્ગનાં નિરક્ષરતા અને અજ્ઞાન ફેડવાના ઉપાયો.
- ૩. સંપૂર્ણ બૌધ્ધિક વિકાસને સારુ અક્ષરજ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે શું? અક્ષરજ્ઞાન દ્વારા શિક્ષણનો પ્રારંભ કરવાની પધ્ધતિ બૌધિક વિકાસને રોકે છે કે?
- ૪. ઔદ્યોગિક શિક્ષણને મધ્યબિન્દુએ રાખીને આખી કેળવણીની વ્યવસ્થા કરવાની આવશ્યકતા.
- ૫. અત્યારે ચાલતી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓના ભાવી કાર્યક્રમનો વિચાર.
- ૬ સ્વભાષા દ્વારા બધી જ કેળવણી આપવાની શક્યતા અને સાધનોનો વિચાર.
- ૭. આજની પ્રચલિત શાળાઓમાં રાષ્ટ્રીય કેળવણીનાં કયાં કયાં તત્વો દાખલ કરવાં આવ્શ્યક છે?
- ૮. આપણી શાળાઓમાં, ખાસ કરીને પ્રાથમિકનાં છેલ્લાં તથા માધ્યમિકનાં શરૂઆતનાં વર્ષોમાં, હિંદી- હિંદુસ્તાનીનું શિક્ષણ ફરજિયાત રાખવા વિષે.
આ મુદ્દાઓ વિષે ગાંધીજીને એમના વિચારો પ્રદર્શીત કરવાનું કહેવામાં આવ્યું, તેના જવાબમાં એમણે જે વિવેચન કર્યું તે વિવેચનનો સાર હું અહીં આપું છું. - મહાદેવ દેસાઈ].
આપણે જો ગામડાંને અનુકૂળ અને લાભદાયી એવી કેળવણી આપવી હોય, તો વિદ્યાપીઠને ગામડાંમાં લઇ જવી જોઇએ.આપણે