આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫
કેટલીક ટીકાઓ
સરકારી કેળવણી ખાતામાં ઉંચ્ચો હોદ્દો ધરાવનાર એક અમલદાર જે પોતાનું નામ પ્રગટ થવા દેવા ઇચ્છતા નથી, તેમણે પ્રાથમિક કેળવણીની મારી યોજના પર વિસ્તૃત અને વિચાર પૂર્વક કરેલી ટીકાઓ અમારા બંનેના મિત્ર એવી એક વ્યક્તિ મારફતે, મોકલી છે. જગાના અભાવે એ આખી દલીલ હું અહીં નહીં આપું. તેમ જ એમાં કંઈ નવું છે પણ નહીં. અમે છતાં, લેખકે એમના લેખ પાછળ જે પરિશ્રમ લીધો છે એટલાને ખાતર પણ, એને જવાબ આપવો ઘટે છે.
- મારી સૂચનાઓનો ભાવાર્થ લેખકે આ પ્રમાણે આપ્યો છે:
- "૧ પ્રાથમિક કેળવણીનો આરંભ અને અંત હુન્નર ઉદ્યોગથી થવો જોઈએ, અને સામાન્ય માહિતીનું શિક્ષણ આપવું પડે તે આરંભકાળમાં ગૌણ રૂપે અપાય; અને વાચન લેખન દ્વારા અપાય. ઇતિહાસ, ભૂગોળ અને ગણિતનું રીતસરનું સિક્ષણ છેક જ છેડે આવે
- ૨. પ્રાથમિક કેળવણી શરૂઆતથી જ સ્વાવલંબી હોવી જોઈએ અને રાજ્ય નિશાળો પાસેથી તૈયાર માલ વેચાતો લે ને તે લોકોને વેચે, તો નિહાળો સ્વાવલંબી બની શકે.
- ૩. પ્રાથમિક કેળવણીમાં છે મૅટ્રિક સુધીનું ભણતર આવી જાય - બેશક એમાંથી અંગ્રેજી તો બાદ જ થાય.
- ૪. યુવકો અને યુવતીઓ પાસેથી પ્રાથમિક શાળાઓથી ભણાવવાનું કામ ફરજિયત કરાવવાનો જે વિચાર અધ્યાપક ખુશાલ શાહે કાધ્યો છે તેની પૂરી તપાસ કરવી જોઈએ ને બને તો તેનો અમલ કરવો જોઈએ."
- તે પછી તે લેખક તરત જ કએવા લાગે છે :
- "આપણે ઉપરના કાર્યક્રમનું પૃથક્કરણ કરી જોઈએ તો આપણને જણાશે કે, એના મૂળમાં રહેલ કેટલાક વિચારો મધ્યયુગના છે, અને કેટલાકની પાછળ હે માન્યતાઓ રહેલી છે તે ઝીણવટથી તપાસતા
૬૦