આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ખરી વાત છે. અમારા દેશમાં દર વરસે મોતરના અકસ્માતોથી ચાળીસેક હજારનાં મોત નીપજે છે અને એથી ત્રણ ગણાં માણસો ઘવાઈને લૂલાં પાંગળાં બને છે."

"હિંદુસ્તાનનાં બધાં ગામડાંમાં રેડિયો થાય એવિ દિવસ આવે ત્યાં સુધી હું તો નથી જીવવાનો."

"પંડિત જવાહરલાલનો વિચાર તો એવો લાગે છે કે, દેશમાં પુષ્કળ માલ પેદા થવો જોઈએ."

ગાંધીજી : " મને ખબર છે. પણ પુષ્કળ માલ એટલે શું ? અમેરિકામાં કરો છો એમ કરોડો ટન ઘૌંનો નાશ કરવાની શક્તિ નહીં ને?"

"હાસ્તો. એ મૂડીવાદનું બૂરું પરિણામ છે. હવે એ લોકો પણ નાશ નથી કરતા, પણ ઘઉંનો પાક ન કરે એટલા માટે એમને પૈસા આપવામાં આવે છે. ઈંડાના ભાવ ગગડી ગયા હતા એટલે લોકો એક બીજાની સામે ઈંડાં ફેંકવાની રમત રમતા હતા."

"એવું અમારે નથી જોઈએતું.પુષ્કળ માલ હોવો જોઈએ એનો અર્થ જો તમે એવો કરો કે, દરેક માણસને પુશ્કળ અન્ન, પેય અને વસ્ત મળવાં જોઈએ, મનને સુસજ્જ ને સિક્ષિત બનાવવાને માટે પણ સાધનસામગ્રી મળવી જોઈએ, તો મને સંતોષ થાય. પણ પચે અના કરતાં વધારે ખોરાક પેટમાં નાખવો ને વાપરી શકાય એનાં કરતાં વધારે પડતી ચીજો ઘરમાં ખડકવી, એ મને ન ગમે. પણ બીજી બાજુ મારે તો દારિદ્રય કંગાલિયત ને ગંદકી પણ હિંદુસ્તાનમાં નથી જોઈતાં."

"પણ પંડિત જવાહરલાલે તો એમની જીવનકથામાં કહ્યું છે કે તમે દરિદ્રનારાયણને પૂજો છો ને ગરીબાઈને ખાતર જ ગરીબ રહેવા સ્તુતિ કરો છો."

"મને ખબર છે." ગાંધીજીએ હસતાં હસતાં કહ્યું.

ह० बं०, ૨૦,૨૭-૨',૩૮

૮૪