પિતામહ ૧૩૭ કાઈ યુવરાજ પણ નહિ હોય ?' સત્યવતીના આક્રોશ વધી પડયો. તેણે પૂછ્યું', ‘ શાન્તનુને માટે પુત્ર હેવા છતાં આવું દુર્ભાગ્ય સારો.' સત્યવતી જાણે હૈયાની અકળામણુ ઠાલવતી હાય ને પશ્ચાત્તાપ કરતી હાય એમ ખેાલી, ‘મહારાન્ત શાન્તનુ મત્સ્યગ ંધાના સૌદય પર માહી પડયા હતા. તેનેા લાભ મારા બાપે લીધા ત્યારે હું પણુ અસમજ હતી. મારે પણ મહારાણી બનવુ હતુ એટલે બાપની હઠની હું અવગણુના કરી શકી નહિ. તમે મહારાજની ઈચ્છા પૂર્ણ કરવા બાપની શરતેના સ્વીકાર કરી પ્રતિજ્ઞા લીધી. પણ હવે? ' વેદનાભર્યા શ્વાસ ખેંચતા ખાલી, ભીષ્મ, તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. તમે ગાદીત્યાગ કરીને મારા બંને પુત્રોને ગાદી દીધી. પણ કમભાગ્યે તે મૃત્યુ પામ્યા. તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. હવેના ધર્મ જુદા છે.' ' ‘ના, મા, ના! ભીષ્મ દેવેાની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞામાંથી સહેજ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. ગાદી અને લગ્ન મારા માટે જિંદગીના અ ંત સુધી વર્જ્ય છે, મા!' સત્યવતી સમક્ષ મસ્તક નમાવી દીનભાવે ભીષ્મ ખેાલતા હતા. મા, મને ક્ષમા કરો. તમારી આજ્ઞાની અવગણના કરતાં મને ખૂબ દુ:ખ થાય છે. મા, પ્રતિજ્ઞાભંગ થઈ હું રાજવૈભવ ભાગવવા ઇચ્છતા નથી. ' સત્યવતી નિઃશબ્દ સ્તબ્ધ હતી, ભીમ બે હાથ જોડી સત્યવતીની ક્ષમા માંગતા ઊભા હતા.
પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૬
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭ ✽ પિતામહ
પિતામહ ✽ ૧૩૭