પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૨૯ શિક્ષક્નો ઘાંટો આપણે શાળાઓમાં જઈને જોઈશું તો શિક્ષક મોટો અવાજ કાઢી ભણાવતા જોવામાં આવશે. આનાં કારણોમાં એક કારણ શિક્ષકની પોતાની તાણીને બોલવાની ટેવ હોય છે. આ ટેવ આપણામાં એટલી રૂઢ છે, કે તે છે કે નહિ તેની આપણને ખબર જ નથી પડતી. આપણો આખો સમાજ આ કુટેવમાં છે એટલે એ સહજ લાગે છે. આપણી આ ટેવનાં પ્રદર્શનસ્થળો સર્વત્ર છે. આપણી વાતો, આપણાં બજારો, આપણાં ઘરો એના ખાસ નમૂનાઓ છે. બીજું કારણ આપણી શાળામાં વર્ગો બેસાડવાની આપણી રીતિ છે. આપણે એક જ હોલમાં બે-ત્રણ વર્ગો અમે ગામડામાં એક જ ઓરડામાં આખી નિશાળ બેસાડીએ છીએ.ઘણી વાર ખંડો હોય છે તો તે લાકડાના હોય છે. આથી દરેક વર્ગનો અવાજ બીજા વર્ગને, બીજાનો ત્રીજાને મળે છે; ને પરિણામે દરેક વર્ગનો કુલ અવાજ વધતો જ ચાલે છે. આથી શાળાના ઘોંઘાટમાં કામ કરતા શિક્ષકને મોટેથી બોલીને ભણાવ્યા વિના છૂટકો જ નથી. ત્રીજું કારણ શિક્ષકને ધીમેથી ભણાવવાની કળા કે આવડત નથી. અર્થાત્ શિક્ષક મોટેથી ભણાવે છે, ને ઘાંટો કાઢે છે ત્યારે જ વ્યવસ્થા સચવાય છે ને નહિ તો નથી સચવાતી એવી તેની માન્યતા અને અનુભવ બંને છે. એક એવો ખોટો વહેમ પણ છે કે મોટો ઘાંટો રૂઆબસૂચક છે ને તેથી વ્યવસ્થાપ્રેરક છે. આ કારણોથી શિક્ષક ઘાંટો કાઢીને બોલે છે ને ભણાવે છે. પાંચ કલાક સુધી મોટે અવાજે બોલવું એ ઘણો જબરો શ્રમ છે. એ ગળાનો કે ફેફસાંનો વ્યાયામ નથી, પરંતુ અતિ વ્યાયામ અર્થાત્
પૃષ્ઠ:Prathmik Shalama Shikshak.pdf/૧૪૫
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૨૯