પ્રાથમિક શાળામાં શિક્ષક ૧૩૯ છે. હાઈસ્કૂલોના શિક્ષકો કહે છે કે પ્રાથમિક શાળામાંથી કચરો આવે છે. પ્રાથમિક શાળામાં પણ અનુક્રમે નીચલાં ધોરણની નબળાઈનો વાંક કાઢવામાં આવે છે. અંતે આ બધો વાંક બાળ- ધાોરણ અને પહેલા ધોરણ પર આવે છે. અને બાળ-ધોરણમાં જઈને જુઓ તો એક કાં તો કાચી ઉંમરનો અનેકાં તો વૃદ્ધ એવો શિક્ષક છે ! તેનું બિચારાનું જ્ઞાન તદ્દન થોડું છે; તે એકંદર તદ્દન નકામા જેવો છે. અને આને હાથે પાયો નખાય છે ! ! હજી સમજાતું નથી કે આમ શા માટે ચાલતું હશે ! નીચલા ધોરણમાં મુખ્ય મહેતાજીએ, ઊંચેનામાં સ્પેશિયલે અને ઊંચે જઈએ તેમ સાધારણ સારા શિક્ષકોએ કામ શા માટે ન કરવું ? આજે માન્યતા એવી છે કે બાળપોથીમાં તો એકડા-બગડા અને કક્કા-બારાખડી શીખવવાં, ને પહેલીમાં સાધારણ વાચન- લેખન ને ગણિત શીખવવાનું; એમાં તે વળી શું શીખવવાનું છે ? છઠ્ઠી અને સાતમીમાં તો ઈતિહાસ, ભૂગોળ, ઊંચું ગણિત, નિબંધ ને એવું એવું શીખવવાનું; એ સાધારણ શિક્ષકથી કેમ શીખવાય ? હા; અત્યારના પહેલા કે બાળવર્ગના શિક્ષકથી તે ન શીખવાય. તે માટે પણ સારા શિક્ષકો તો જોઈએ જ. પણ તેથીએ સારા શિક્ષકો તો નીચલા ધોરણ માટે જોઈશે. બાળકની ઇંન્દ્રિયોને ખીલવવી એટલે કે તેને અવલોકન કરતાં શીખવવું; તેની માનસિક શક્તિઓ જેવી કે બુદ્ધિશક્તિ, તુલનાબુદ્ધિ, તર્કબુદ્ધિ, નિર્ણયબુદ્ધિ ખીલવવી; બાળકને સાહિત્યરસિકતા આપવી અને ભૌગોલિક વસ્તુમાં રસ લેતું કરવું. આ બધું છેક નાનપણમાં બાળ અને પહેલા ધોરણમાં થવું જોઈએ. આ તેના પાયાનું ભણતર છે. તેના ઉપર વિષયજ્ઞાનની ઈમારત છે. વિષયોનું જ્ઞાન મહત્ત્વનું નથી પણ તેનો
પૃષ્ઠ:Prathmik Shalama Shikshak.pdf/૧૫૫
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
પ્રાથમિક શાળામાં શિક્ષક
પ્રાથમિક શાળામાં શિક્ષક
૧૩૯