પ્રાથમિક શાળામાં શિક્ષક ગરીબ પોતાના એક રોટલામાંથી અર્ધા રોટલાનું દાન કરે તો એની કિંમત કોઈ રાજાના અર્ધી રાજ્ય જેટલી ગણાય. આપણી આવી સાધારણ સ્થિતિમાંયે ખરી દાનતથી સેવા કરીશું તો એ અર્ધા રોટલાનું પુણ્ય એક મહા-યજ્ઞ જેટલું થશે. એમ થશે તો ધંધાની ઉન્નતિ થશે, અને મૃત્યુ પછી પણ આપણું કલ્યાણ થશે. ૪૮ આ રીતે આપણે શિક્ષણમંદિર ચણવા અને સમગ્ર જીવન અજવાળવા માગીએ છીએ, તેનું પુણ્ય મળશે. તમે ભલે અત્યારની ગરીબીથી ટયૂશન રાખો, શાળાનાં બીજા કામ કરો, પરંતુ એ બધું તમારા ધંધાને સારો કરવા માટે જ કરો. તેનાથી કંટાળો ન લાવતા. ‘‘આમાં કયાં પડયા ?’’ એમ ધારીને ન કરતા. તમારા ધંધા ઉપર આફરીન રહો, મગરૂર રહો, તો એને કેમ સુધારવો એ આવડી જશે. પછી તો નિબંધ, વ્યાકરણ એ બધું આપોઆપ સમજાશે. પછી ભાષાની ખટપટ નહિ રહે. હવે બીજી વાત. આપણું શિક્ષણકાર્ય અને વિચારબળ સંઘબળથી ટકે અને સંઘબળથી જ વૃદ્ધિ પામે. એટલા માટે ધંધાની ઉન્નતિ માટે કામ કરનાર શિક્ષકોએ એક શિક્ષકસંઘ સ્થાપવો અને તેમાં ચર્ચાઓ ચલાવીને વિચારો કેળવવા; ત્યાં દરરોજ જવાની પ્રતિજ્ઞા કરવી, તથા શિક્ષણ વિષયક પુસ્તકો વાંચવાં અને સારા વિચારોની આપલે કરવી. આમ થાય તો પરિણામ સુંદર આવે જ. સારું શું છે એ બધા સમજે છે, પણ તે પ્રમાણે ઘણા થોડા જ કરે છે. આપણે ખાતાની ખોટી બીક ન રાખવી. આપણે જ્યારે
પૃષ્ઠ:Prathmik Shalama Shikshak.pdf/૬૪
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
પ્રાથમિક શાળામાં શિક્ષક
પ્રાથમિક શાળામાં શિક્ષક
૪૮