તો કામે જ વળગાડવો સારો.”
લાકડીને ટેકે ટેકે પોતે ઊઠ્યા અને તે જ વેળા બહાર ઝાંપા ઉપર અવાજ સંભળાયોઃ “અમરબાઈ, બોન ! બાપુના કંઈ સમાચાર ?”
“આ સાદ તો શાદુળનો—” સંત ચમક્યા.
“હા, હું ઉઘાડું છું.”
“સાંભળ, અમર !”
"કહો.”
"એક પ્રતિજ્ઞા લે.”
"શાની?”
“મારે માથે મારપીટ થયાનો એક બોલ પણ શાદુળને કાને નથી નાખવાનો.”
"શા માટે ?”
"આયરોનાં માથાં ઉતાર્યા વિના એ ઘેર નહીં આવે અથવા તો ત્યાં જઈ પોતે કટકા થઈ પડશે. મને ભયંકર માનવ-હત્યા ચડશે. વચન આપ, કે તું શાદુળને નહીં કહે.”
અમરબાઈ વધુ બેલી ન શક્યાં.
"કેમ ઉશ્કેરાયેલા છો શાદુળ ખુમાણ?” સંતે સવારની આજાર સેવા પતાવીને ગાય દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું.
"મોકળો થવા આવ્યો છું, હવે પાછા જવું નથી.” જુવાન કાઠીએ નિશ્ચય જણાવ્યો.
"કેમ, થાક લાગે ?”
“હવે ઈજજત-આબરૂ સલામત નથી રહ્યાં ત્યાં – સંસારમાં. કાલે તો ધોળા દિવસે હું તારા દેખી ગયો.”
"શું બની ગયું ?” જુવાને આગલા દિવસની આપવીતી કહી સંભળાવી