પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૭૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઉતરે રસનો ઘૂંટડો, ઉઘડે અક્કલ તર્ત,
હૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ. ૩૮

બીજો પુરવાસી : તમારી સાથેનો છોકરો ચાલાક છે. તમે વાતોમાં રહ્યા, પણ એણે ઓટલા આગળ જઈ બૈરાં અને છોકરાંમાં કટોરા ફેરવવા માંડ્યા !
દુર્ગેશ : અમારી અપૂર્ણતા એ પૂરી કરે છે.
ત્રીજો પુરવાસી : છોકરા ! પેલાં સામેથી નવી કાકી આવે. એમને એક કટોરો પાજે.
[રસ્તે જતું સ્ત્રીમંડળ પ્રવેશ કરે છે]
 
છોકરો : કિયાં ?
ત્રીજો પુરવાસી : પેલાં કાળી ઝીમીમાં 'ઝબૂક વાદળ વીજળી.' [૧]
ચોથો પુરવાસી : એમ પૂછજે ને કે લીલાવતી જેવાં રૂપાળાં છે અને એમને પગલે ઘરડા વરને પરણ્યા છે તે કિયાં ?
છોકરો : બૈરાં માણસને એવાં અઘટિત વેણ મારાથી ન કહેવાય, અને તમારાથીયે ન કહેવાય.
ચોથો પુરવાસી : તું અમને કોણ ટોકનારો ?
છોકરો : માઝા મૂકે તેને ટોકવાનો સહુ કોઈને હક છે. પુરની સ્ત્રીઓની લાજ પુરવાસીઓ નહિ સાચવે તો કોણ સાચવશે?
ત્રીજો પુરવાસી : અમને તું નિર્લજ્જ કહે છે?
છોકરો : તમારીમેળે જ તુલના કરોને. એમ કહે છે કે મહારાજ રત્નદીપનું રાજ એવું હતું કે સોળ વર્ષની સુન્દરી મધરાતે એકલી રસ્તેથી ચાલી જતી હોય, પણ કોઇ બારીએથી ખૂંચ સરખો ન કરે. એ મર્યાદા આજ ક્યાં છે?
ત્રીજો પુરવાસી : ઝાઝું બોલીશ તો આ લાકડી જોઈ છે ?
[લાકડી ઉગામી]
 
છોકરો : એનો ઉતર મારી પાસે છે.
અંક ત્રીજો
૬૭
 
  1. પૃષ્ઠ ૧૭૭