પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૭૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

२२–सुनंदा (अभयकुमारनी माता)

જૈન સંસારમાં ખ્યાતિ પામેલા રાજા શ્રેણિકની પત્ની છે. અને અભયરાજની માતા હતી. બેન્નાતટ નગરમાં ધનપતિ નામના વાણિયાને ઘેર એનો જન્મ થયો હતો. સુનંદાને માતપિતાએ સારૂં શિક્ષણ આપ્યું હતું અને યોગ્ય વરની શોધમાં મોટી વય સુધી તેને કુમારી રહેવા દીધી હતી.

એ અરસામાં રાજગૃહ નગરીના રાજાનો પુત્ર શ્રેણિક ધનપતિની દુકાને થઈ ચડ્યો અને બન્ને વચ્ચે મિત્રતા થઈ. ધનપતિને ઘેર હવે શ્રેણિક આવજા કરવા લાગ્યો. એ પ્રસંગોમાં સુનંદાનો શ્રેણિકના રૂપ અને ગુણનો પરિચય થયો અને તે તેના ઉપર મોહિત થઈ ગઈ. પોતાના મનની અભિલાષ તેણે માતાની આગળ જણાવી. આમ અજાણ્યા પુરુષ સાથે પોતાની પુત્રી પરણવા અભિલાષી થાય એ વાત માતાને રુચી નહિ. તેણે પુત્રીને ઠપકો આપ્યો. સુનંદાએ વિનયપૂર્વક કહ્યું: “માતા ! મેં આપની આગળ હૃદયનો સાચો ભાવ પ્રકટ કરી દીધો તેનો અર્થ આપ એવો ન કરો કે મેં કોઈ રીતે મારા જીવનને કલંકિત કર્યું છે. મારા ચિત્તમાં કોઈ જાતનો વિકાર નથી. એક આર્ય બાળાને છાજે એવો વિશુદ્ધ પ્રેમ મારો શ્રેણિકકુમાર પ્રત્યે છે. શ્રેણિક મારા હૃદયના નાથ છે. વરીશ તો એમને જ વરીશ; નહિ તો જન્મપર્યન્ત કુમારી રહી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ.”

સુનંદાના પિતાના જાણ્યામાં એ વાત આવી ત્યારે એ પ્રસન્ન થયા. શ્રેણિકના ગુણોનો પરિચય તેમને થયો જ હતો. ભિન્ન ભિન્ન વર્ણમાં એ સમયમાં લગ્ન થતાં હતાં, એટલે એમણે એ વિવાહ સંબંધમાં સંમતિ આપી.

શ્રેણિકને સુનંદાનો અભિલાષ જણાવવામાં આવ્યો. શ્રેણિકે સુનંદાને મળીને પોતાની ખરી સ્થિતિ જણાવી. પોતાના જેવા