આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગોકુળપર્વ

આસરે ૫૧૦૦ વર્ષ પરના ભારતવાસીઓએ શ્રીકૃષ્ણનું અદ્‍ભૂત જીવન પોતાની નજર સમક્ષ નિહાળ્યું હતું. જોકે અનેક પવિત્ર ગ્રંથોમાં એમની લીલાઓનું વર્ણન છે, અનેક ભક્તો એમને પોતાની પ્રેમવૃત્તિનું અલૌકિક પાત્ર બનાવી એમની કીર્તિને ચિરંજીવ રાખી રહ્યા છે; છતાં એ ગાનો ઉપર ચમત્કારિક રૂપકોનાં એવાં જબરાં થર ચઢી ગયાં છે કે એ કાવ્યમય અને ગૂઢ ભાષામાંથી સાદો અર્થ અને અલંકારરહિત હકીકત નિશ્ચયપૂર્વક શોધી કાઢવાનું કામ અતિશય કઠણ થાય છે, અને જુદા જુદા લેખકોને એમ કરવા માટે પોતાની કલ્પનાશક્તિનો જ બહુધા ઉપયોગ કરવો પડ્યો છે.
૮૭