આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાંડવપર્વ

આ કાળમાં પાંડવો ભારે વિપત્તિમાં આવી પડ્યા હતા. દુર્યોધને એમને પોતાના જ મહેલમાં જીવતા બાળી મુકવાનું કાવતરૂં રચ્યું હતું, પણ ભીમની ચાલાકીથી તેઓ બચી ગયા હતા. ત્યારથી તેઓ બ્રાહ્મણને વેષે દેશદેશાન્તરમાં ભટકી પોતાના દિવસો ગાળતા હતા. વિદુર સિવાય સર્વ જગત પણ એમને મરી ગયેલા જાણતું હતું. કૌરવોએ એમની શ્રાદ્ધાદિક ક્રિયા કરીને જાહેર રીતે શોક પણ પાળ્યો હતો. પરંતુ નીચેના બનાવે એમને પાછા ઉઘાડા પાડ્યા.

૧૨૦