આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાજસૂય યજ્ઞ તો પૂરો થયો, પણ દેશમાં કલહનાં બીજ વાવતો ગયો. જરાસંઘ, પૌંડ્રક-વાસુદેવ અને શિશુપાળના વધથી દન્તવક્ર અને શાલ્વને કૃષ્ણ સાથે વૈર બંધાયું. શાલ્વે સૌભ નામનું એક વિમાન રચી દ્વારિકા ઉપર ચડાઈ કરી. એ વિમાનમાંથી તે શહેર ઉપર પથરા, બાણ, અગ્નિ વગેરેનો વરસાદ વરસાવી ખૂબ નુક્સાન કરવા લાગ્યો. છેવટે કૃષ્ણે તેનો પણ લડાઈમાં વધ કર્યો. એ જ પ્રમાણે દન્તવક્રને પણ દ્વંદ્વયુદ્ધમાં માર્યો.
કલહનું બીજું બીજ દુર્યોધનની છાતીમાં પડ્યું. પાંડવોની સમૃદ્ધિ અને રાજસૂય યજ્ઞમાં ધર્મરાજાને મળેલું માન જોઈને એ ઈર્ષ્યાથી બળવા લાગ્યો. એણે શકુનિ[૧]
- ↑ દુર્યોધનનો મામો
૧૨૭