આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કૃષ્ણ
અર્જુને કૃષ્ણને પસંદ કર્યા અને દુર્યોધને સૈન્ય લીધું. બળરામ તટસ્થ રહ્યા અને યાત્રાએ નીકળી ગયા. યાદવોમાંથી કેટલાએક પાંડવોને અને કેટલાએક કૌરવોને જઈ મળ્યા. જોકે આ ટંટો એક પ્રાન્ત જેટલા રાજ્ય માટે હતો, છતાં સંબંધને લીધે આખા હિન્દુસ્તાનમાં તે વ્યાપી ગયો. ઠેઠ દક્ષિણ સિવાયના આખા ભારતવર્ષના ક્ષત્રિયો આ ખૂનખાર લડાઈ માટે તૈયાર થઈ કુરુક્ષેત્ર આગળ ભેગા થયા. દુર્યોધન તરફ અગીયાર અક્ષૌહિણી[૧] અને પાંડવો તરફ સાત અક્ષૌહિણી સૈન્ય ભેગું થયું; એટલે લગભગ ચોપન લાખ માણસો આ પિત્રાઈઓની લડાઈમાં એકબીજાના પ્રાણ લેવા આવ્યા.
લડાઈ શરૂ કરતાં પહેલાં યુધિષ્ઠિરે ટંટાનો નિકાલ સમાધાનીથી લાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો. છેવટે, માત્ર પાંચ ગામ લઈ સન્તોષ માનવાની તૈયારી બતાવી કૃષ્ણને વિષ્ટિ
- ↑ ૨૧૮૭૦ ગજસ્વાર, એટલા જ રથી, એથી ત્રણ ગણા ઘોડેસ્વાર અને પાંચગણા પાયદળનું લશ્કર એક અક્ષૌહિણી કહેવાય. એટલે એક અક્ષૌહિણીમાં ૨,૧૮,૭૦૦ તો લડનારા જ હોય; એ ઉપરાંત સારથી, મ્હાવત વગેરે જુદા. એકંદરે લગભગ ત્રણ લાખ મનુષ્યબળ એક અક્ષૌહિણીમાં થાય.
૧૩૪