આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધપર્વ

.

કરવા હસ્તિનાપુર મોકલ્યા. કૃષ્ણે તથા વિદુરે[૧] ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધનને ઘણુંઘણું સમજાવ્યા. ભીષ્મે પણ કૃષ્ણને ટેકો આપ્યો. પણ દુર્યોધને ગર્વભર્યો ઉત્તર વાળ્યો કે એક સોય ઉભી રહે એટલી જમીન પણ પાંડવોને મળશે નહિ. સર્વ અનર્થોનું કારણ દુર્યોધન છે એમ વિચારી કૃષ્ણે ધૃતરાષ્ટ્રને દુર્યોધનને કેદ કરવા સલાહ આપી. પણ મોહવશ પિતાથી તે થઈ શક્યું નહિ. ઉલટું દુર્યોધને કૃષ્ણને જ કેદ કરવા પ્રયત્ન કર્યો. પણ કૃષ્ણ ચતુરાઈથી છટકી ગયા.

વિષ્ટિ માટેની આ મુલાકાત વખતે દુર્યોધને શિષ્ટાચાર પ્રમાણે કૃષ્ણને રાજમહેલમાં રહેવા નિમન્ત્રણ કર્યું હતું; પણ કૃષ્ણ દુર્યોધનના ભાવરહિત આતિથ્યના લાલસુ ન હતા. એમણે વિદુરનું ગરીબ ઘર રહેવા માટે પસંદ કર્યું અને એની જોડે બેસી સાદાં શાક-રોટલો ખાવામાં આનંદ માન્યો.

વિદુર, ભીષ્મ
અને કૃષ્ણ

વિદુર એ કાળના ભારતવર્ષના ત્રણ મહાપુરુષમાંના એક ગણાય. એમનું જીવન અત્યન્ત સાદું હતું. ન્યાયપ્રિયતા અને ડહાપણમાં એમની બરોબરીએ ભાગ્યે જ કોઈ થઈ શકે. ભીષ્મ ન્યાયપ્રિય અને જ્ઞાની


  1. ધૃતરાષ્ટ્રના સાવકા ભાઈ; પણ દાસીપુત્ર


૧૩૫