આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
યુદ્ધપર્વ

.

પરિક્ષિત
પુનરુજ્જીવન

લડાઈ પૂરી થયા પછી યુધિષ્ઠિર પશ્ચાતાપ કરવા લાગ્યા. રાજ્ય સ્વીકારવાની એણે ના પાડી. કૃષ્ણે એને ઘણા સમજાવ્યા, પણ એના મનનું સમાધાન થયું નહિ. છેવટે કૃષ્ણ એને રણક્ષેત્રમાં ઘાયલ થઈ પડેલા ભીષ્મ પાસે લઈ ગયા. એણે કરેલા રાજઘર્મ અને મોક્ષઘર્મના ઉપદેશથી યુધિષ્ઠિરનું સમાધાન થયું અને એ રાજ્ય સ્વીકારવા કબુલ થયા.એનો અભિષેક કરી તથા અશ્વમેઘ કરવાની સલાહ આપી કૃષ્ણ સ્હેજ નવરા પડે છે એટલી વારમાં વળી એક બીજું સંકટ પાંડવો પર આવ્યું. યુદ્ધમાં પાંડવોના સર્વે પુત્રો માર્યા ગયા હતા. માત્ર અભિમન્યુની વિધવા ઉત્તરા તે વખતે સગર્ભા હતી, એના ઉપર જ વંશના વિસ્તારનો આધાર રહ્યો હતો. પણ છેલ્લે અશ્વત્થામાએ એ ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર[૧]


  1. ભારત યુદ્ધમાં બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, વૈષ્ણવાસ્ત્ર, અગ્ન્યસ્ત્ર વગેરે અનેક અસ્ત્રોનાં નામ આવે છે. એમ મનાય છે કે એ મંત્રવિદ્યાની શક્તિઓ છે. એ અસ્ત્રવિદ્યા હવે લુપ્ત થઈ ગઈ છે; પણ એ વાતો ખોટી છે એમ માનવું ભૂલભરેલું છે. મંત્રથી સર્પ, વીંછી વગેરે ઉતારનારા આજે પણ કેટલાક હોય છે. એક વાર મંત્રવિદ્યા સાધવાનો ભારતવર્ષમાં છંદ જ હતો.


૧૪૫