આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ-કૃષ્ણ

પુરુષે પોતાને સ્ત્રી તરીકે કલ્પ્યા કરવામાં પોતાનું પૌરુષ ગુમાવવાનો માર્ગ લેવા જેવું છે. એથી સ્ત્રીત્વની પૂર્ણતા તો પ્રાપ્ત ન થાય, પણ પુરુષાર્થ ઓછો થાય અને સ્ત્રીને શોભનારા અને પુરુષને એબ લગાડનારા હાવભાવ માત્ર ઉતરે. એથી ભોગવૃત્તિ પણ ઉશ્કેરાય; અને અત્યંત દૃઢ વિવેકદશાની જાગૃતિ ન હોય તથા ભક્તિની ઉત્કટતા ન હોય તો અધઃપાત પણ થયા વિના રહે નહિ. કૃષ્ણની રાધા અથવા ગોપી તરીકે ઉપાસના કરનારા અનેક ભક્તો હિન્દુસ્તાનમાં થઈ ગયા છે. એ સર્વેનાં ચરિત્રો તપાસતાં એમાંથી બ્રહ્મચારી, વીર, વિલાસ માટે ઉદાસીન, એવા ઘણા થોડા જણાશે. એથી ઊલટું, પ્રસિદ્ધ રામભક્તો જેવા કે હનુમાન, રામદાસ, તુલસીદાસ વગેરે બ્રહ્મચર્ય, શૌર્ય, પુરુષાર્થ, વૈરાગ્ય વગેરે માટે પંકાયેલા છે. ગોપીની ભક્તિ જેવી મીરાંબાઇમાં શોભે છે તેવી પુરુષમાં ન જ શોભે; અને સંન્યાસીઓમાં તેથી યે ઓછી.

જીવન એ
ઉત્સવ

જીવન ઉત્સવરૂપ મનાય એ સ્થિતિ સારી છે. પણ ઉત્સવ એ ભોગ્ય વસ્તુ તરીકે મનાવાનો પણ સંભવ છે. જ્યાં સુધી આપણે જીવનનો તડકો જોયો નથી ત્યાં સુધી

૧૭૮