આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

ભાર હતો. નેત્ર લાલચોળ હતાં. એક ખાંધ પર મોટી ફરશી હતી અને બીજી ખાંધ પર એક મોટું ભયંકર વૈષ્ણવી ધનુષ્ય ભરાવેલું હતું. રામે શિવ ધનુષ્ય ભાંગ્યાની વાત સાંભળતાં જ એને બીક લાગી હશે કે રખેને કોઇ બળવાન ક્ષત્રિય જાગી ઉઠે અને બ્રાહ્મણોને પીડા કરે; માટે તે વિશેષ બળવાન થાય તે પહેલાં જ એનો નિકાલ લાવવો એ ઇચ્છાથી એણે રામને વૈષ્ણવી ધનુષ્ય ચઢાવી એનિ સાથે યુદ્ધ કરવા નોતર્યા. રામને ધનુષ્ય ચઢાવતાં જોતાં જ પરશુરામનો મદ ઉતરી ગયો. એ નિસ્તેજ થઇ ગયા. પૃથ્વીને ક્ષત્રિય વિનાની કરવાને અત્યર અગાઉ એમણે જે તપશ્ચર્યા કરી હતી તે સર્વે પાણીમાં ગઈ એમ એમને લાગ્યું અને તેથી રામની વન્દના કરી એ ફરી તપ કરવા ચાલ્યા ગયા.