આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અયોધ્યાકાણ્ડ

.

રામને પાછા
લાવવા પ્રયાણ

એણે તરત જ ચતુરંગ સેના સાથે રામને તેડવા જવાની તૈયારી કરવા માંડી. એની આ ઉદારતાથી સર્વે લોકોએ એને અતિશય ધન્યવાદ આપ્યો.[૧] સર્વ સૈન્ય, રાણીઓ, મંત્રીઓ, પ્રજાજન તથા ગુરુ વસિષ્ઠ અને ભાઈ શત્રુઘ્ન સહિત ભરત ગંગા કિનારે આવી પહોંચ્યા. ત્યાં સુમંત્રે ભરતને જણાવ્યું કે "આ જગાએ રામ અને લક્ષ્મણે વડનો ચીક માથે લગાડી જટા બાંધી હતી અને વલ્કલ ધારણ કરી જમીન પર સુતા હતા." આ સાંભળી ભરતે પણ તરત જ રાજદરબારી પોષાક કાઢી નાંખી રામ પાછા આવે ત્યાં સુધી વનમાં રહેવાનું અને જટા તથા વલ્કલ ધારણ કરવાનું વ્રત લીધું.

આટલા સમયમાં રામ પ્રયાગ પાસે ભારદ્વાજના આશ્રમ આગળ થઇ ચિત્રકૂટ પર્વત પર જઇ રહ્યા હતા. ભરતને સસૈન્ય આવેલો જોઈ કદાચ એ રામનો સમૂળગો નાશ કરવા જતો હોય તેવી સર્વેને શંકા



  1. 'ભાઇ હજો તો ભરત જેવો' એવી આપણામાં કહેવત પડી ગઇ છે. પણ એનો અર્થ એવો નથી કે આપણો ભાઇ ભરત જેવો થાય એવી અપેક્ષા રાખવી; આપણે ભરત જેવા થઇયે એટલે બસ છે.


૨૩